SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ અને કસ. (૧૪૫) ગયું અને કણે તેનું ગળું ઝાલી લીધું અને તેની પીઠ ઉપર તે ચડી બેઠે. કૃષ્ણનું અદ્ભુત કૃત્ય જેવાને દેએ આકાશમાં પિતાના વિમાને ઉભા રાખ્યા. અને એવા દુર્દમનાગનું કૃષ્ણ સહજમાં દમન કર્યું, તે જોઈ તેઓ કૃષ્ણની કીર્તિ ગાવા લાગ્યા. પછી કૃષ્ણ નાગની કુક્ષિમાં એડીને માર એટલે માર્યો કે જેથી તે મંદ પડી ગયે. અને તેના મુખમાંથી વિષનું વમન થઈ ગયું. મૃતપ્રાય થઈ ગયેલા તે નાગને દયાથી છોડી દઈ કૃષ્ણ કીનારા ઉપર આવ્યા ત્યાં તપસ્યા કરતા ઋષિઓએ કૃષ્ણની ભારે પ્રશંસા કરી. - બળદેવ તથા કૃષ્ણ બને ભાઈએ અભુત કામ કરી આગળ ચાલ્યા. મથુરામાં આવતાં તેમને જોઈ ત્યાંના લેકે બહુ પ્રસન્ન થઈ ગયા અને પ્રેમદષ્ટિથી તેમને નિરખવા લાગ્યા. બંનેભાઈ મલ્લયુદ્ધના મંડપ પાસે આવ્યા, ત્યાં કંસના હુકમથી મદેન્મત્ત અને કુર એવા પદ્યોત્તર તથા ચંપક નામના બે હાથીઓને કૃષ્ણ તથા બળદેવની સામે છેડી મુકવામાં આવ્યા. તેમાં પોત્તર કૃષ્ણની સામે અને ચંપક બળભદ્રની સામે થયે. ગજશિક્ષામાં ચતુર એવા કૃષ્ણ પટ્વોત્તરને કેટલીક વાર ક્રિીડા કરાવી પછી તેના જંતુશળ પકડી મુષ્ટિના પ્રહારથી જ તેના પ્રાણનું હરણ કરી લીધું. તેમજ બળભદ્દે પણ ચંપક હાથીના પ્રાણ સિંહની જેમ કુંભસ્થળ વિદારી હરી લીધા. પછી બંને ભાઈઓ જેમાં સુકોમળ રેતી પાથરેલી છે એવી મધ્યભૂમિમાં દાખલ થયા. આ વખતે ત્યાં બેઠેલા ૧૦ ,
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy