SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું અને કંસ. (૧૪૧) તો સિંહની પેઠે ફાળ ભારત અને અનાદષ્ટિને આગળ કરતે કૃષ્ણ કેસના સિન્યને તિરસ્કાર કરી બાહર નીકળી - ડ્યો. “આપણે શત્રુ નાશી જાય છે, તેને પકડી પકડે એમ બોલી કંસના સુભટે કૃષ્ણની સામે આવ્યા. તેમાંના કોઈને લાત, કોઈને મુષ્ટિ અને કોઈને કોઈ મારતો અનાદષ્ટિની સાથે કૃષ્ણ મંડપની બાહેર આવ્યું. તેને અનાદષ્ટિએ પોતાના રથમાં બેસારી ગોકુળમાં પહોંચતો કર્યો. અને પોતે શૈર્યપુરમાં ગયે. આ ખબર સાંભળી કંસ ગભરાયે અને પિતાનું મૃત્યુ પાસે આવ્યું એમ જાણે અતિ ચિંતા કરવા લાગ્યું. તેની પ્રકૃતિમાં ફેરફાર થઈ ગયા. તે વિપત્તિને પાસે આવતી જેવા લાગ્યા. તેનું ચિત્ત ઠેકાણે રહ્યું નહીં. રાજ્યની વ્યવસ્થા બરાબર કરે નહિં. આ વખતે શત્રુના મહાભયમાં મગ્ન થયેલા કસે કૃષ્ણને મારવાને સંકેત કરી મલ્લયુદ્ધને અખાડો કરવાનો સમા રંભ કર્યો. તે સમયે તેણે મેટા આડંબરથી બધા રાજા. એને આમંત્રણ મોકલાવ્યા. કંસના આમંત્રણને માન આપવાને રાજાએ તે અખેડામાં હાજર થયા. આ બધું જોઈ વસુદેવે બલભદ્રને જાણ કરી કે, કંસ કૃષ્ણને મારવાના અનેક ઉપાય કર્યા કરે છે, તેમને આ મલ્લયુદ્ધ કરવાને ઉપાય કર્યો છે; માટે તમારે સાવચેત રહેવું. તે સિવાય રાજા સમુદ્રવિજય, બીજા સર્વે ભાઈઓ તથા નેહીઓને વસુદેવે કહી રાખ્યું કે, સર્વેએ મળીને કૃષ્ણની રક્ષા કરવી જોઈએ.
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy