SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કંસ અને છવયશા. (૧૧૧) વયમાં આવ્યા ત્યારે સુભદ્ર વણિકે પિતાના કંસ પુત્રને વસુદેવની સેવા કરવા મોકલ્ય, તેજ આ કંસ છે. તેણે પોતાના સેવા ગુણથી વસુદેવની સારી પ્રીતિ મેળવી છે. કાંસાની પેટીમાંથી એ નીકળે, તે ઉપરથી સુભદ્ર વણિકે તેનું નામ કંસ પાડેલું છે. જ્યારે તે નાના હતા, ત્યારે તે એ ચપળ હતું કે બીજા છોકરાની સાથે અહર્નિશ કજીયા કર્યા કરતે હતો. જ્યારથી વસુદેવની પાસે રહેલ છે, ત્યારથી તે ઘણે નમ્ર થયે છે. અને તે ઉગ્રસેનને પુત્ર હોવાથી વસુદેવ તેને રાજપુત્ર તરીકે માને છે. સમુદ્રવિજયનાં આવાં વચન સાંભળી જરાસંઘ ખુશી થયે અને તેણે સમુદ્રવિજયને કહ્યું કે, મારી પુત્રી જીવયશા હું આ કંસની સાથે પરણાવીશ. કારણ મેં પ્રતિજ્ઞા કરી હતી કે, “જે પુરૂષ મારા શત્રુ સિંહરથને બાંધી લાવે તેની સાથે રાજપુત્રી જીવયશાને પરણાવવી. ” આ મારી પ્રતિજ્ઞા હું સત્ય કરીશ. કારણ કે, મેટા લોકેની પ્રતિજ્ઞા કેઈપણ વખતે અસત્ય થતી નથી. પછી તરતજ જરાસંઘે મેટી ધામધુમથી રાજપુત્રી જીવ શાને કંસની સાથે પરણાવી દીધી. આ વખતે કેદ કરેલા સિંહરથ રાજાએ જરાસંઘની સામે રૂદન કરી માફી માગી, ત્યારે જરાસંઘે કૃપા કરી તેને છોડી મુક્યો અને રાજ્ય પાછું આપ્યું. પછી સમુદ્રવિજય જરાસંઘની આજ્ઞા લઈ પોતાના નગરમાં આવ્યા. કંસ પિતાની પ્રિયા જીવ શાની સાથે વિષય વિલાસ
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy