SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વડે પથિકલાકને જાણે ખેલાવતા હાય એવા તે ઋષભદેવ સ્વામીના પ્રાસાદને સમીપ આવેલા જોઈ તે ષિ ત મનવાળી થઈ. તે પછી સાપાનપ ક્તિ ઉપર ચઢીને તે જિનચૈત્યમાં ગઈ. બે હાથ જોડી વિનયપૂર્વક શ્રી ઋષભદેવ પ્રભુને ઘણીવાર સુધી પ્રણામ કરીને પેાતાના અપરાધની ક્ષમા માગી ભગવ ́તની પાછળ ગુપ્તપણે રહી. ત્યાર પછી સંકેતસમયે અપ્સરાગણ પણ ત્યાં આવ્યેા. પ્રથમ શ્રી ઋષભદેવ પ્રભુને ત્રણ વખત પ્રદક્ષિણા કરી મસ્તકે એ હાથ જોડી પ્રણામ કરી કેસર આફ્રિ શ્રેષ્ઠ પદાર્થો વડે દ્રવ્યપૂજા કરે છે. તે પછી જિનેશ્વરના ગુણેાનું ગાન કરવા વડે ભાવપૂજા કરતી સંગીતકળામાં કુશળ તે અપ્સરાઓ વાજિત્રાને તૈયાર કરી વિવિધ નૃત્યકળાએ વડે પ્રભુની આગળ નૃત્ય કરવા લાગી. તેમાં કેાઈ સા રે ગ મ વ ધ નિ એ પ્રમાણે સાત સ્વરના ભેદથી ભિન્ન વિવિધ પ્રકારના ગીત-ગાનપૂર્વક ચિત્તને પ્રમાદ આપનારી વીણા વગાડે છે, કાઈક સ્રર્યા તાં ધિક્ તાં ધિક્ એ પ્રમાણે નાદ વડે મૃદંગ વગાડે છે. એક ઢોલ વગાડે છે, કાઈક કાહલ વગેરે વિવિધ વાજિત્રા વગાડે છે. એક-એ-ત્રણ-ચાર તાલ, વસંત સ્વરતાલ, બ્રહ્મતાલ આદિ ભેદવાળા નૃત્યને કરીને થાકી ગયેલી વિરામ પામી. હવે ત્યાં જિનમદિરની આગળ નિળ જળથી ભરેલી એક પુષ્કરિણી (=વાવ) છે. તેના કાંઠે પાતાપેાતાનાં
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy