SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ શ્રી ચંદ્રરાજ ચરિત્ર મા જન્મ નિષ્ફળ ગયે. આથી તમારી જે અનુજ્ઞા હોય તે હું ચારિત્ર સ્વીકારું. કયે ભૂખે માણસ મુખ સમીપ રહેલા અમૃત જેવા રસયુક્ત ઘેબરને ખાવા માટે ઉદ્યમ ન કરે? આ પ્રમાણે પિતાના પ્રિયનાં વચન સાંભળીને ગુણાવલી અને પ્રેમલાલચ્છી બને સ્ત્રીઓએ તેને સંસારમાં રહેવા માટે ઘણું ઉપાય કર્યા, પણ વૈરાગ્યવાસિત ચિત્તવાળા રાજાને જાણીને ચલાયમાન ન કરી શકી, ત્યારે તેઓએ ચારિત્ર ગ્રહણ કરવા માટે અનુજ્ઞા આપી. તે પછી હર્ષિત મનવાળે ચંદ્રરાજા ગુણુવલીના પુત્ર ગુણશેખરને આભાપુરીને રાજ્ય ઉપર સ્થાપીને મણિશેખર વગેરે બીજા કુમારને જુદા જુદા દેશે વહેંચી દઈને તે સર્વને સંતેષ પમાડે છે. શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે ચંદ્રરાજા વગેરેનું દીક્ષા ગ્રહણ તે પછી ચારિત્ર ગ્રહણ કરવાની ઉત્કંઠાવાળા ચંદ્રરાજાને જોઈને ગુણાવલી વગેરે સાતસે રાણી, સુમતિ મંત્રી, શિવકુમાર નટ, એ સર્વે વિનયપૂર્વક કહે છે કે- હે નાથ ! આ અસાર સંસારનું સ્વરૂપ જાણનારા એવા અમે પણ તમારી સાથે દીક્ષા ગ્રહણ કરશું. એ પ્રમાણે તેઓનું વચન સાંભળીને ચંદ્રરાજા પ્રસન્ન મનવાળે થયે. - હવે પિતાની ભક્તિ કરવામાં રક્ત ગુણશેખર અને મણિશેખર પિતાના વૈભવના અણસારે મોટા આડંબરથી
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy