SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વિરક્ત ચિત્તવાળે ઇદ્રિના વિષયના સમૂહને વિષ સમાન માનતે એકાંતમાં ગુણાવલી અને પ્રેમલાલચ્છીને બેલાવીને પોતાને અભિપ્રાય જણાવે છે કે- હે પ્રિયાઓ! જિનેશ્વરની શ્રેષ્ઠ દેશના વડે પ્રતિબંધ પામેલો હું શ્રી મુનિસુવ્રતસ્વામીની. ચરણ સમીપે સંસારરેગને વિનાશ કરવામાં ઔષધિરૂપ સંયમને હું ગ્રહણ કરીશ, આ સંસાર દુઃખમય છે. કહ્યું છે કે जम्मदुक्ख जरादुक्ख, रागा य मरणाणि य । अहो दुवखे। हु ससारा, जत्थ कीसति जतूणो ॥ १४० ॥ संसारो दुहहेऊ, दुक्खकलो दुसहदुक्खरूवो य । न चयति त पि जीवा, अइबद्धा नेहनिअलेहि ॥ १४१ ॥ (સંસારમાં જન્મનું દુઃખ છે, જરાનું દુઃખ છે, રેગે. છે, માણે છે, અહો ! આ સંસાર દુઃખરૂપ છે, જેમાં પ્રાણીઓ કલેશ પામે છે. ૧૪૦ સંસાર એ દુઃખને હેતુ છે, દુઃખરૂપ ફળવાળે છે. દુસહ દુઃખરૂપ છે, તે પણ નેહરૂપી બેડીથી બંધાયેલા. જીવો તે સંસારનો ત્યાગ કરી શકતા નથી. - જિનવચનરૂપી અમૃતથી સિંચન પામેલું મન રાજ્ય સુખ અને કામગ આદિમાં વૃદ્ધિ પામતું નથી. વળી રૂ૫ અશાશ્વત છે, જીવિત વીજળી જેવું ચંચળ છે, યૌવન સંધ્યાના રંગની જેમ ક્ષણવાર રમણીય છે, લદ્દમી હાથીના કાનની જેમ. ચંચળ છે, અને ઈન્દ્રધનુષ્ય સમાન વિષયસુખને જાણીને તેઓમાં મને આનંદ થતો નથી. હમણા શુભધ્યાનમાં મગ્ન મારી ચિત્તવૃત્તિ ઉદાસીન ભાવને પામી છે. પ્રાણીઓનું
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy