SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ધારણ કરતો શંકર પણ પરિભ્રમણ પામ્યા. તો ખીજાનુ તો શું કહેવુ' ! સૂરસેન કુમાર તો પેાતાના કામમાં હાશિયાર તખેાળી ત ખેલની જેમ સમાન દૃષ્ટિએ તેને મનને સભાળે છે. હુવે એક વખત બીજા દ્વીપમાંથી કાઇ પારધીએ શ્યામ શિખવાળી, રક્ત નેત્રવાળી, સેાના જેવી ચાંચવાળી, શ્વેતકૃષ્ણવર્ણ યુક્ત પાંખના મધ્યભાગવાળી, અમૃત સમાન વાણીવાળી, કાવ્ય-કથા અને આલાપ વડે લોકોને ચિત્તને આનă પમાડતી સુંદર અંગવાળી એક સારિકા પક્ષિણીને મેળવી, તેણે વિચાર્યું કે- ‘આ અતિઅદ્ભુત રૂપવાળી પક્ષિણી રાજદ્વારે શેાલે’ એમ વિચારીને તેણે તે તિલકમ જરીના પિતા મદનભ્રમ રાજાને ભેટ કરી. તેના મધુર વચન સાંભળવાથી તુષ્ટ થયેલા રાજાએ તેને સુવર્ણ ના પાંજરામાં રાખીને પાતાની પુત્રીને રમવા માટે વૈરાટનગરમાં મોકલી, તિલકમંજરી પણુ સુંદર રૂપવાળી અને મધુરવાણીવાળી તેને જોઇને પરમ પ્રમેાદ પામી. તે હુંમેશા તેને જ રમાડતી નવા નવા ખાદ્ય પદાર્થા વડે તેનું પાષણ કરતી એકલી જ આનંદ અનુભવે છે, પાતા શાય રૂપમતીને રમવા માટે ક્ષણ માત્ર પણ આપતી નથી, રૂપમતી તે માગે છે, ત્યારે તિલક મજરી ગવ સહિત કહે છે કે– પેાતાના પિતાના ઘરેથી તુ પણ કેમ મંગાવતી નથી, સ્નેહથી ભરેલા મારા પિતાએ આ પક્ષિણી માકલી છે, તને પેાતાના પિતા પાસે તે માગવામાં શું શરમ થાય છે?
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy