SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૦૩ - સંસારમાં સર્વ જે ખરેખર પોતાનો સ્વાર્થ સાધવામાં જ તત્પર હોય છે, આથી જ આ સંસાર નિએ અસાર ગણાય છે. તેમ જ આ નટે દુષ્ટકર્મના વિપાકથી થયેલ કૂકડા સ્વરૂપે મને લઈને અનેક દેશમાં ભમ્યા, તે પણ મારા પાપ કર્મોનો અંત ન આવ્યો. મનુષ્યપણું છેડીને હું ઉકરડામાં ભમતો કૂકડે થયા. ઘણો કાળ વ્યતીત થયે, હવે મનુષ્યપણુની પ્રાપ્તિની કઈ આશા ? મારે પોતાની સ્ત્રી સમીપ વર્તતે છતે રાત્રિદિવસ કઈ રીતે પસાર કરવા ? જેવું અને બળવું એ કેવી રીતે સહન કરાય ? મારુ મનહર યૌવન નિષ્ફળ ગયું. મારી અચિંત્ય દુખવા વડે સર્યું. કેવળ દુઃખપાત્ર જીવતરને હું નકામું માનું છું. પ્રાપ્ત થયેલ કૂકડાપણું કરતાં મરવું સારુ, તેથી હમણું આ કુંડમાં પૃપાપાત કરીને કલ્યાણ કરુ. असारे इह स सारे, कास को वि म विजजइ । नियकम्माणुसारेण, सव्वे जीवा मिलति हि ॥ २५ ॥ આ અસાર સંસારમાં કઈ કેઈનું નથી. સર્વ જીવે પિતાના કર્મના અનુસારે મળે છે. ૨૫ કેની માતા, કેના પિતા, કેની સ્ત્રી, કેની નગરી ? આ અશાશ્વત ભાવે કેઈને શાશ્વત થતા નથી. આથી તેઓને વિષે મેહ ન કરે. એ આપણું ક્યારેય થયા નથી. આથી તેમને વિષે મમત્વને ત્યાગ કરે જોઈએ. સર્વે સંબંધીએ પિતપોતાનું કાર્ય સાધવામાં તત્પર હોય છે. કહ્યું છે કે
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy