________________
૨૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર પ્રેમલાલચ્છીના ડાબા નેત્રનું ફરકવું અને
સખીઓ સાથે વાર્તાલાપ આ તરફ પોતાના પ્રાસાદમાં સખીઓ સાથે બેલી પ્રેમલાલચ્છીનું ડાબું નેત્ર ફરક્યું. તેથી રોમાંચિત દેહવાળી તે કહે છે કે-“હે સખી! આજે મારું ડાબું નેત્ર ફરકે છે, તેથી જણાય છે કે- મને પ્રિયને સંગ અવશ્ય થશે. પ્રિયના વિગમાં આજે સેળ વર્ષ થયા. પહેલાં પણ કુળદેવીએ કહ્યું હતું કે- સેળ વરસને અંતે તને પ્રિયને સંગ થશે. તે સમય હમણું પ્રાપ્ત થયે છે, પરંતુ આ વિષયમાં મારા મનમાં મેટે સંદેહ ઉત્પન્ન થાય છે. કારણ કે આભાપુરી અહીંથી ઘણી દૂર રહેલી છે. તેથી મારા પતિનું અહીં આગમન કેવી રીતે સંભવે ? ત્યાં ગયેલા. પ્રિયને સંદેશે કે કુશળપત્ર સર્વથા નથી, તેથી તેને સંગમ કેવી રીતે થાય? વળી દેવીનું વચન મિથ્યા ન હોય, કારણ કે દેવ અમેઘવચનવાળા કહેવાય છે, તે પણ જણાશે. આથી દૂર રહ્યા છતાં પણ મારા પ્રિય આજે મળશે, એમ મારું મન સાક્ષી પૂરે છે.
આ પ્રમાણે તેનાં વચન સાંભળીને સખીઓ કહે છે કે–બેન ! તારું વચન સાચું થાઓ. પિતાના ઘરને નેહ, ઘણે હોય તે પણ સ્ત્રીને સાસરાનું ઘર વહાલું હોય છે, તેમ જ તમારા પતિ ચંદ્રરાજ બધાને હંમેશાં યાદ કરવા લાયક છે, કારણ કે નેહપાત્ર નરશેખરને કઈ શું ભૂલી શકે ? તારા કરેલા તપના પ્રભાવથી ચંદ્રરાજ તને મળશે.