SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૧૯૯ હે સ્વામી! જ્યાં સુધી ચંદ્રરાજાની શેાધ ન થાય, ત્યાં સુધી આ સિ`હુલરાજાને પિરવાર સહિત અહીં જ રાખવા.’ આ પ્રમાણે મ`ત્રીનું વચન સાંભળીને રાજાએ સિ‘હલરાજાને ભેાજન માટે આમંત્રણ આપ્યું. તે પણ પરિવાર સહિત ત્યાં આવ્યેા. તે વખતે રાજાએ મુનિ જેમ પાંચ ઇંદ્રિયાના નિગ્રહ કરે તેમ પટરાણી, મુઠ્ઠીકુમાર, હિંસકમ`ત્રી, ધાવમાતા અને સિ’હલરાજને પકડીને બીજા બધાને વિસર્જન કર્યાં. તે બધાં પેાતાને દેશ જવા માટે ત્યાંથી નીકળી ગયાં. સિ’હલરાજા આદિ પાંચને કેદખાનાની જેમ વિમળાપુરીમાં રાખ્યા. તેએ પેાતાના પાપાદયને યાદ કરતા પસ્તાવા કરવા લાગ્યાં. તે પછી મકરધ્વજરાજાએ ચદ્રરાજાની તપાસ માટે બધે ઠેકાણે ચરપુરુષો મેકલ્યા તેમ જ પેાતાના પ્રાસાદની નજીક વિશાળ દાનશાળા બનાવી. ત્યાં મુસાફર, અનાથ, સાધુ અને દીન-દુઃખીને અન્ન-વસ્ત્ર આફ્રિ આપવા માટે પ્રેમલાલચ્છીને નિયુક્ત કરી. અને કહ્યું કે, • વિદેશમાંથી જે કોઈ માણસ દાન માટે તારી પાસે આવે, તેને તુ' આભાનગરીનું વૃત્તાંત પૂછજે. જો કોઈ તેનુ વૃત્તાંત કહે તેા મને જણાવજે.' ત્યારથી માંડીને પિતાના આદેશથી ત્યાં રહેલી પ્રેમલાલચ્છી મુસાફર વગેરેને હંમેશાં દાન આપે છે. પ્રત્યેક પથિકને આલાપુરીના વૃત્તાંત પૂછે છે. પરતુ તેણે
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy