SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર પિતાના ભવનના દ્વારે આવ્યું. તે પછી સ્ત્રી સાથે ચંદ્રરાજા એકાંત વાસમાં બેઠે. પ્રેમલાલરછી પણ અસ્થિર મનવાળા પ્રિયને જોઈને - વિચાર છે કે, જે આનંદ વિવાહ વખતે આમને હિતે, તે સારીકીડા વખતે ન હતું અને હમણાં તે તેવો ય દેખાતું નથી. પૂર્વની જેમ હમણું પ્રમોદમાં ભેદ છે, અહીં કેઈ કારણ સમજાતું નથી. એ પ્રમાણે તે વિચારતી હતી તેટલામાં હિંસકમંત્રીએ હાથની સંજ્ઞા વડે સમજાવવાથી ચંદ્રરાજા પિતાના મનમાં વિચારવા લાગ્યું કે, આ મંત્રી મને નીકળી જવા માટે જણાવે છે, પરંતુ આ રાત્રિ અને પ્રેમલાલચ્છીને નેહ, જિંદગી સુધી ભુલાશે નહીં. આવા પ્રકારને સનેહ ફરી મને ક્યાં મળશે ! અહીંથી નીકળવું પણ મને કઠણ લાગે છે, પરંતુ ભાડેથી પરણેલી સ્ત્રી ઉપર સનેહ રાખવો. નકામે છે. વળી મારાં માતા પણ વૃક્ષ ઉપર ચઢીને ચાલી જશે તે મારી કઈ ગતિ થશે? પિતાના સ્થાને જવા માટે મારી શક્તિ નથી, એમ વિચારીને સર્પ જેમ કાંચળીને છેડે, તેમ પ્રેમલાલચ્છીની ઉપેક્ષા કરીને તે એકદમ ઊભું થ. તે વખતે તેણીએ કહ્યું કે, “હે સ્વામી! ક્યાં જાઓ છો?” તેણે કહ્યું કે, “દેહચિંતા માટે જાઉં છું.” પ્રેમલાલચ્છી જળને લેટે લઈને તેની પાછળ ચાલી. ચંદ્રરાજાએ નિવારવા છતાં પણ કાંઈક અશુભની શંકા “ થવાથી તે તેની પીઠ છેડતી નથી:
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy