SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર જાણવામાં આવત હૈ વત્સ ! હજી પણ મારૂં ભાગ્ય જાગૃત છે, કારણ કે તુ' આવતાં મારે વાદળાં વિના વરસાદ થવા જેવું થયું છે, હવે વધારે શું કહું ? તુ` રોાગ્ય છે. માટે આ રાજ્ય, આ ઘર, અને આ બધા પરિજનના તું સ્વીકાર કર. અને પ્રજાનું પાલન કર. હું હવે પૂ`જોએ આચરેલ વ્રત ગુરૂ સમીપે જઈને ગ્રહણ કરીશ.” પિતાના વિરહને સુચવનારાં આ વચના સાંભળીને લલિતાંગ સખેદ એલ્યેા કે :- હે તાત ! આટલા દિવસે તે મારા નિષ્ફળ ગયા, કે જેમાં મે' આપ પૂજ્યેાની સેવા ન કરી; માટે હે પ્રભુ! હવે આપની સેવા ન કરી શકું એવી આજ્ઞા ન કરવી. તે રાજ્ય અને તે જીવિતથી પણ શું કે જેથી પ્રસન્ન એવા પિતાના ચરણકમળયુગલના પ્રતિદિન દર્શન ન થાય. જે પરમ શાભા મને આપની સામે એસવાથી પ્રાપ્ત થશે. તેના હજારમા ભાગની Àાલા પશુ સિ'હાસન પર બેસતાં પ્રાપ્ત નહિ થાય. હું તેા આપની સેવા માટે આવ્યે છું, માટે આપ સિહાસન પર બેસી સામ્રાજ્ય પાળા અને મને આપની સેવાના લાભ આપે, હું તેા આપની સેવા કરીશ. હવે ફરીને મને આપના ચરણકમલના વિરહ ન થાઓ.” આ પ્રમાણેનાં પુત્રનાં વચન સાંભળીને રાજાને શું કરવું તે વિચારવાળા બની ગયા; પછી ફરી ધીરતા પકડીને એક્લ્યા કેઃ– હે વત્સ ! મને તું ઉત્તમ કાર્ય કરવામાં અંતરાય ન કર. આ અનુક્રમે આવેલાં બંને રાજ્ય હવે તારાં છે અને મારે તા હવે વ્રત જ લેવુ જોઈ એ’ આ પ્રમાણે કહી સમજાવીને વિલક્ષણ મુખવાળા રાજકુમારને ઉછળતા પાઁચ શબ્દના નિર્દોષપૂ ક તત્કાળ સિહાસન પર બેસાડીને રાજાએ તેના રાજ્યાભિષેક
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy