SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સુંડલામાં મૂકાવીને તે દાસીના મસ્તકપર ઉપડાવ્યા; અને વાજીંત્રના નાદ તથા સ્ત્રીએાના ગીતગાન સાથે તે રાણી પરિવાર સહિત ઉદ્યાનમાં દેવીના ભવન તરફ તેનુ બલિદાન દેવા ચાલી. ૪૩૨ _ એ અવસરે કાંચનપુરના સ્વામી સૂર નામના વિદ્યાધરાનો રાજા આકાશમાર્ગે જતા હતા. તેણે સૂર્ય જેવા તેજસ્વી તે પાળકને જોઈને ત્યાં અન્ય મરેલા બાળક મૂકી તે બાળક લઈ લીધા. પછી વિમાનમાં સુતેલી પેાતાની સ્ત્રીની પાસે તે બાળકને મૂકીને વિદ્યાધર કામળ સ્વરથી પત્નીને કહેવા લાગ્યા કે – હું પ્રિયે ! જલ્દી ઉઠે અને જો તને બાળક અવતર્યુ છે.? એટલે તે ખેદસહિત ખેલી કે – હે સ્વામિન્ ! તમે મારી મશ્કરી કરી છે ! દુષ્ટ દૈવે તેા મારી મશ્કરી કરેલી જ છે કે જેથી હું વંધ્યા રહી છું અને પુત્રને પ્રસવતી નથી.’તે સાંભળી રાજા વધારે હસીને મેલ્યા કે —તુ. પેાતે તારી પડખે સુતેલા રત્નસમાન બાળકને જો, પુત્રરહિત એવા આપણા એજ પુત્ર છે.' પછી રાણીએ તે બાળકને જોયા અને તેને પુત્ર તરીકે સ્વીકારીને તેઓ પેાતાના નગરમાં ગયાં. ત્યાં ચંદ્રકળાની જેમ પ્રતિદ્દિન તે બાળક કળાથી વૃદ્ધિ પામવા લાગ્યા. અહી તિસુ દરીએ પ્રસન્નપણે સુ`ડલામાંથી બાળકને લઈ દેવીના શિરપર ફેરવીને દેવીની આગળ તેને પછાડયા; અને પૂર્ણ મનારથ થતાં તે ત્યાંથી પેાતાના સ્થાને ગઇ. જયસુ’દરી પુત્રના વિયાગથી દુઃખે સમય પસાર કરવા લાગી. આ વખતે એક રાણી પૂર્ણિમા સમાન અને બીજી રાણી અમાવસ્યા સમાન લાગતી હતી.
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy