SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મારી સાથે પ્રપંચ રમવા ધારે છે; પરંતુ હવે મારે એને વિશ્વાસ ન કરે.” એમ ચિંતવી તેને નમસ્કાર કરીને તે બેલ્યો કે –“હે માતા ! તારું કહેવું બધું સત્ય છે. તારી પુત્રીને એમ કરવું ઉચિત છે. તે કહે, હવે મારે શું કરવું?” તે બોલી કે –“હવે જલ્દી આપણે ઘરે આવવું.” એટલે કુમાર તેની સાથે ગયો, અને ફરી પ્રથમની રીતે જ રહ્યો. તેમજ પહેલાંની જેમ વિલાસ અને દાન વિગેરેથી લીલામાં વખત. ગાળવા લાગ્યા. કેટલાક દિવસ પછી ફરી અકાએ ધન આગમન નું કારણ પૂછવાની મગધાને પ્રેરણી કરી; એટલે મગધા બેલી કે –“હે દુષ્ટ ! તું લુબ્ધ છે, તેથી હું કંઈ ન સમજું, તું જાતે જ પૂછ. એટલે એકદા વૃદ્ધાએ સ્વયમેવ પૂછ્યું કે – હે વત્સ ! આટલું બધું ધન તમે ક્યાંથી લાવે છે ?” રાજકુમાર બે કે –“એ પ્રગટ ન કહેવાય એવું હોવાથી કેઈને કહેવાય તેમ નથી, છતાં તને કહું છું–મારી પાસે વિદ્યાધિષ્ઠિત બે પાદુકા છે, તેના પર આરૂઢ થઈ આકાશમાં ઉડીને હું ઇદ્રના ભંડારમાંથી ઈચ્છા પ્રમાણે ધન લઈ આવું છું.” આ પ્રમાણે સાંભળીને તે દુષ્ટાએ મનમાં વિચાર કર્યો કે – એવો ઉપાય કરું કે જેથી એ બંને પાદુકા મારા હાથમાં આવે.” પછી એ કદા માયાથી અકા માંદી થઈને એક જણે માંચા પર સુતી અને બેટી શૂળપીડાથી બબડવા લાગી; એટલે. કુમારે તેનું કારણ પૂછયું. તે બોલી કે –“હે વત્સ ! તને હું શું કહું ? એ તે આ શરીરથી જ સહન થાય તેમ છે,
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy