SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એવામાં શેઠે મુખ ઉંચુ કરીને જોયું તે પુત્રને અચેતન જે થઈ ગયેલ છે. એટલે વિરહવ્યાકુળ થઈને શેઠ કરૂણ સ્વરે અત્યંત રૂદન કરવા લાગ્યા. “અહો ! સંસારમાં કે કૃત્રિમ સ્નેહ છે તે જુઓ. એક કવિએ કહ્યું છે કે – હે શંકર! પ્રથમ તે અમને પેદા જ કરીશ (જન્મ આપીશ) નહિ, અને પેદા કરે તે મનુષ્યજન્મ આપીવા નહિ, મનુષ્યજન્મ આપે તે પ્રેમ આપીશ નહિ અને પ્રેમ આપે તે વિયાગ કરાવીશ નહિ. અહો ! આ હૃદય વજથી ઘડાયું હોય તેમ લાગે છે, તેથી જ તે વા સમાન છે. કે જેથી વલ્લભના વિયેગ સમયે પણ તે ટુકડેટુકડા થતું નથી. જેમ પાણીના વિયેગથી કાદવનું અંતર ફાટી જાય છે, તેમ જે સાચે સ્નેહ હોય, તો માણસની પણ તેવી સ્થિતિ થવી જોઈએ.” પછી બહુ વિલાપ કરીને શેઠ ઉંચુ મુખ કરી પિટને કહેવા લાગ્યું કે – “હે પોપટ ! તને તારી પ્રિયતમા વહાલી છે, તે કરતા મારો પુત્ર અને અધિક વહાલો છે. તમે બંને સુખવિલાસમાં મગ્ન છે અને હું દુઃખમાં ડૂબી ગયો છું” ઈત્યાદિ બહુ વિલાપ કરવાથી પોપટી પિપટને કહેવા લાગી - જે પુરુષથી મારો દ્રાક્ષને દોહદ પૂરાણે છે, તેને અત્યારે મહાદુઃખ છે; માટે છે સ્વામિન્ ! તેના પુત્રને જીવવાને ઉપાય હોય તે બતાવો. હે પરોપકારરસિક ! પરોપકાર કરો.” પોપટ બેલ્યા કે –“હે પ્રાણપ્રિયે ! લીલા નાળીયેરને આ નાગને જે ધુમાડે આપવામાં આવે તે એને શ્વાસ પાછો એના શરીરમાં પેસે, એટલે પુત્ર સજીવન થાય, અને એક પ્રહર પછી
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy