SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ' ' તે લલિતાંગકુમારમાં બીજા ઘણું ગુણે હતા, છતાં દાનગુણમાં તેને વધારે પ્રીતિ હતી. યાચકને જોતાં તેને જે આનંદ ઉપજતે, તે આનંદ તેને કથા, કાવ્ય, સ્ત્રી, ઘેડા અને હાથીની લીલા કરવામાં આવતું ન હતું. જે દિવસે તેને યાચકની પ્રાપ્તિ ન થતી, તે દિવસને તે ક્ષય તિથિની જેમ ગણતો હતો વળી અથીના આગમનને તે પુત્ર જન્મને લાભ કરતાં પણ અધિક માનતે હતે. વળી દાનના વ્યસની એવા તેને અદેય (ન દેવા લાયક) કંઈ પણ ન હતું. તે કુમારને નામથી સજજન પણ સ્વભાવે દુર્જન એ એક અધમ સેવક હતે. કુમારને હાથે તે વૃદ્ધિ પામેલ હોવા છતાં તે કુમારનું જ પ્રતિકૂળ કરનારે હતું. જેમાં સમુદ્રના જળથી પૃષ્ટ થયેલ વડવાનલ તેનું જ શેષણ કરે છે. તેમ તે સજજન કુમારને દુર્જનરૂપ જ હતું તે પણ કુમાર તે અધમ સેવકને ત્યાગ કરતું ન હતું, કારણ કે ચંદ્રમા શું કલંકને કદાપિ ત્યાગ એકદા કુમાર પર પ્રસન્ન થઈ તેના ગુણથી આકર્ષાઈને રાજાએ તેને પિતાના હાર વિગેરે કિંમતી અલંકારો આપ્યા. તે કિંમતી અલંકારો પણ તે રાજકુમારે યાચકને આપી દીધા એટલે સજજને તે બધું રાજા પાસે જઈને ગુપ્તપણે નિવેદન કર્યું. તે સાંભળીને રાજા અગ્નિની જેમ અંતરમાં બળવા લાગ્યો. પછી રાજાએ કુમારને એકાંતમાં બેલાવીને કેમળ વાણીથી શિખામણ આપવા માંડી કે - “હે વત્સ ! જરા વિના પણ ગુણગણથી તને વૃદ્ધત્વ પ્રાપ્ત થયું છે, તે પણ તેને ઉપયોગી થાય એવી કંઈક હું શિખામણ આપું છું તે સાંભળ - હે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy