SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ખાદ્ય રાજ્યના ત્યાગ કરી ધરૂપ અંતર`ગ રાજ્યને સ્વીકાર કર્યાં. તેને વિરતિરૂપ પત્ની, સવેગરૂપ પુત્ર, વિવેકરૂપ પ્રધાન, વિનયરૂપ ધાડા, સરળતા રૂપ પટ્ટહસ્તી, શીલાંગરૂપ રથ, શમદમાદિક રૂપ સેવા, સમ્યક્ત્વરૂપ મહેલ, સંતેષરૂપ સિ`હાસન, યશરૂપ વિશાળ છત્ર અને ધાન શુકલધ્યાનરૂપ બે ચામર થયા. આવા પ્રકારનું અંતરંગ રાજ્ય પાળતાં ગુરૂની આજ્ઞાથી તે મુનિ એકલવિહારી અને પ્રતિમાધારી થયા. દૃસ્તપ તપ તપવા લાગ્યા. તપના પ્રભાવથી તેમને ગગનગામિની લબ્ધિ પ્રાપ્ત થઈ.એકદા વિહારમાં આકાશગમન કરતાં તે સુવિજયમાં ગયા. હવે પેલા સર્પને જીવ નરકમાંથી નીકળીને ભવભ્રમણ કરતાં સુકવિજયમાં જયલનાદ્રિ પર્વતપર કુરંગક નામે ભીલ થયા. પ્રત્યક્ષ પાપના સમુહ, રૂપ વાળા અગ્નિજ્વાળા જેવી આંખ, મેશ સમાન કાળા શરીરવાળા અને બહુ જીવાના સંહાર કરનારી ને મહાપાપકા વડે પેાતાના નિર્વાહ ચલાવતા હતા. એવામાં એકદા ભવિતવ્યતાના વશથી વજ્રનાભમુનીન્દ્ર તેજ વલનાદ્રિપર રાત્રે કાયાત્સગ રહ્યાં. સત્ર વ્યાપ્ત અધકારમાં અતિભીષણ ઘૂવડાના ધૂત્કારથી, દીપડાઓના ટ્રૂત્કારથી, શિયાળાના ક્રુત્સિત શબ્દોથી અને ભૂત વ્યંતરના અટ્ટહાસ્યથી ભય ન પામતા અને અંતરમાં અતિશય દ્વીપ્યમાન ધ્યાનથી પ્રકાશિત થતા એવા તે મુનિ ધર્મ જાગરણ કરતા ત્યાં રહ્યા. સવારે શિકારમાં વ્યગ્ર એવા કુરંગક ભીલે તે મુનિને જોયા, એટલે પાપરૂપ એવા અને પૂર્વભવના દ્વેષવશથી કોપાયમાન થયેલા એા તે પાપિઠે ‘અહા ! સવારે જ આ અનિષ્ટ દર્શન થયુ
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy