SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૯ ખીરને તાપવડે બળતું જોઈને જળે પ્રથમ પોતાના આત્માને અગ્નિમાં હૈયે (જળ બળવા માંડયું). આવી મિત્રની આપત્તિ જોઈને ખીરને આત્મા અગ્નિમાં પડવાને ઉન્મત્ત થઈ ગયો, એટલે તે ઉછળીને અગ્નિમાં પડવા તૈયાર થયું. પછી જળમિત્રને સંગ મળવાથી તે શાંત થયું. એટલે પાણી છાંટવાથી ઉભરે શ, સજજનોની મૈત્રી ખરેખર આવી જ હોય છે. પછી મનમાં એક નિશ્ચય કરી, રાજસભામાં જઈ, રાજાને નમસ્કાર કરી હાથ જોડીને વસંત શેઠ મજબૂત મનથી કહેવા લાગ્યો કે – હે રાજન! વિક૯૫ ન કરે, તમારા પુત્રને મેં માર્યો છે, માટે મારું ધન અને જીવિત લઈ લ્યો.” આ પ્રમાણે સાંભળીને રાજાના મનમાં સંશય ઉત્પન્ન થયો. એવામાં મંત્રીપની આવીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે –“હે સ્વામિન્ ! મેં મારા દેહદને માટે તમારા પુત્રને વધ કર્યો છે. એટલે રાજા કિંકર્તવ્યતામૂઢ અને શુન્ય જે થઈ ગયો. એવામાં મંત્રી આવીને કંપતો શરીરને દેખાવ કરીને બેલ્યો કે “હે દેવ ! આ મારી પત્નીને કે મારા મિત્રને બિલકુલ અપરાધ નથી, તેઓ મને પીડા ન થાય તેટલા માટે પિતાને અપરાધ કહે છે, પણ એ દુષ્ટ કર્મ તે મેં જ કર્યું છે, મેં દુર્મતિએ રાજપુત્રને માર્યો છે, માટે મને યેગ્ય સજા કરો. રાજાએ દિર્ઘ વિચાર કરીને કહ્યું તેથી દંડ શે? મંત્રી બેલ્યો કે – હે દેવ ! મેં રાજપુત્રનો ઘાત કર્યો, તેથી મને દંડ તે આપ જ જોઈએ. રાજાએ કહ્યું કે જે એમ હોય તો ત્રણ આમળાંમાંથી એક આમળું વળ્યું.' પ્રધાને આ રાજાને નિશ્ચય જાણીને પિતાના માણસને એકલી પુત્રને તેડાવ્યા અને કહ્યું કે –“હે સ્વામિન! કુમારની સાથે તમે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy