SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૨૩૧ ત્યાં તેની સેવાધર્મહીન, નીચ, રૂક્ષ (નેહવિનાની) અને અજ્ઞાન એવી દાસીને તેણે પિતાના ઘરમાં સ્ત્રી તરીકે રાખી. તથા ત્યાંજ વસનાર દાક્ષિણ્યરહિત અને ધનમાંજ (સ્વાર્થ માંજ) લુબ્ધ એવા લોભનંદી નામના એક વણિકને તેણે મિત્ર બનાવ્યા. તે ત્યાં જ રહીને રાજસેવા કરવા લાગ્યો. સ્વપરાક્રમ તથા બુદ્ધિથી તેણે રાજાનો ભંડાર વધાર્યો. વળી દાસીને માટે તેણે બહુ વસ્ત્રો અને આભરણે કરાવ્યા તથા તેને બહુ જ પ્રસન્ન કરી. અને લેભનંદિને નિર્ધન હતું છતાં મહદ્ધિક બનાવી દી. હવે તે સિંહરાજાને પોતાના પુત્ર કરતાં પણ અધિક વહાલે એક મોર હતો. તેને તેણે પોતાના ખોળામાં લાલન પાલન, પિષિત અને ભૂષિત કર્યો હતે. એકદા પ્રભાકરની પનિરૂપ દાસીને ગર્ભના અનુભાવથી મેરનું માંસ ખાવાનો દેહદ ઉત્પન્ન થયે. એટલે પ્રભાકરે તે ઠાકરના મેરને યત્નથી છુપાવીને બીજા મેરના માંસથી તેને દહદ પૂર્યો. ભેજન વેળા થતાં તે મેરને ન જેવાથી ઠાકરે પિતાના માણસે મેકલીને સર્વત્ર તેની તપાસ કરાવી, છતાં તેને પત્તો કયાંય પણ ન મળે એટલે તેમણે રાજાને તે હકીક્ત નિવેદન કરી. આથી ઠાકોર બહુજ આકુળ વ્યાકુળ થઈ ગયો. તેણે ઉચે સ્વર પટલેષણ કરાવી કે –જે કઈ સિંહરાજાના મોરની શોધ કરી આપશે, તેને સે સેનામહોર આપવામાં આવશે. તે સાંભળીને દાસીએ વિચાર કર્યો કે – આ પરદેશીથી મારે શું? ઠાકર પાસેથી દ્રવ્ય મેળવી લઉં, પછી વળી બીજે પતિ કરી લઈશ.” એમ વિચારી પટહને
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy