SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પાપ લાગે તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે.” દારુ બે પ્રકારનું હોય છે-લાકડાનું અને પિષ્ટનું. જળચર, સ્થળચર અને ખેચરના ભેદથી માંસ ત્રણ પ્રકારે છે. માક્ષિક (મધમાખી), કૌત્રિક અને બ્રામર એમ મધ ત્રણ પ્રકારે છે. ગાય, ભેંશ, બકરી અને ઘેટીનું એમ માખણ ચાર પ્રકારે છે. હિમ (બરફ) પ્રગટ રીતે અપકાયના પિંડરૂપ છે. અહીં કેાઈ શંકા કરે કે-જળ પણ અસંખ્ય જીવમય છે, માટે જળ પણ અભક્ષ્ય છે.” આ કથન સત્ય છે, પણ પાણી વિના નિર્વાહ ન થાય અને બરફ-કરા વિગેરે વિના તે નિર્વાહ થઈ શકે, માટે તેને નિષેધ છે, પણ જળનો નિષેધ નથી. તથાપિ શ્રાવકને પ્રાસુક જળ પીવું તેજ ઉચિત છે. ખડી વિગેરે સર્વ જાતની માટી ત્યાજ્ય છે-તેનું ભક્ષણ ન કરવું. કારણ કે માટીનું ભક્ષણ કરવાના વ્યસનવાળી સ્ત્રીઓને પાંડુરોગ, દેહદૌર્બલ્ય, અજીર્ણ, શ્વાસ અને ક્ષયરોગવિગેરે થતા જોવામાં આવે છે, અને તે મહા અનર્થ કરે છે, એટલું જ નહિ પણ મરણાંત કષ્ટ ઉપજાવે છે. વળી સચિત્ત માટીનું ભક્ષણ કરતાં અસંખ્ય પૃથ્વીકાય જીવોની વિરાધના થાય છે. કહ્યું છે કે –આ આમળા જેટલી માટીમાં જેટલા હોય છે, તે દરેકના શરીર પારેવા જેવડા કરવામાં આવે તો તે જબૂદ્વીપમાં સમાઈ ન શકે. જો એમ હોય તે પછી લવણ (સિંધાલુણ, મીઠું) પણ અસંખ્ય પૃથ્વીકાય જીવવાળું હોવાથી તે પણ ત્યાજ્ય કરશે ?' આ પ્રશ્ન ઉચિત છે, પરંતુ તેને સર્વથા ત્યાગ કરવાથી ગૃહસ્થને નિર્વાહ ન ચાલે, માટે જનમાં શ્રાવકે સચિત્ત મીઠાનો ત્યાગ કરવે- વિવેકી શ્રાવકે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy