SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર માંસથી તે સર્ષ તૃપ્ત થયા અને પાછે તેણે કરી દીધેલા માર્ગે તે બહાર નીકળી ગયે. માટે હે મિત્રો ! કાંઈ પણ ઉદ્યમ ન કરતાં સ્વસ્થ થઈને બેસી રહે, કેમકે વૃદ્ધિ અને ક્ષયમાં-લાભ અને હાનિમાં કારણભૂત એક દૈવજ છે. વિધાતાએ લલાટપટ્ટપર જે અ૫ કે બહુ ધન લખ્યું છે, તે મારવાડમાં જતાં પણ અવશ્ય મળવાનું છે, અને તે કરતાં અધિક મેરૂ પર્વત પર જતાં પણ મળવાનું નથી માટે બંધુઓ ! ધીરજ ધરો અને ફેગટ કૃપણ સ્વભાવ ન રાખે. કેમકે કુવામાં કે સમુદ્રમાં જ્યાં જઈને ભરશે ત્યાંથી ઘડામાં સરખું જ જળ સમાશે. (આટલી હકીક્ત પ્રસંગોપાત કહેવામાં આવી છે.) હવે ત્રીજે બંધુ ધનપાલ ભજન કરી પ્રમાદથી ત્યાં જ સુઈ ગયો. નિદ્રા લઈને સંધ્યા વખતે તે નગરમાં પેઠો. ત્યાં નગરના મુખ્ય દ્વાર આગળ ઘણી વેશ્યાએ તેના જેવામાં આવી. તેમાં એક વેશ્યાને ઘણા નટવટ પુરૂષ સાથે જોઈ. એકે એનો હાથ પકડી રાખ્યો હતે, એક તેને તાંબુલનું બીડું આપતો હતો અને એક તેને હાસ્ય કરાવતો હતે. એવામાં એક લંપટ પુરૂષ ધનપાલને આવતે જોઈને બેલ્યા કે –“હે પરદેશી પુરૂષ! શું જુએ છે? મનુષ્ય ભવનાં આવાં આવાં ખરેખર મીઠા ફળને ગ્રહણ કર.” એટલે ધનપાળ તે વેશ્યાને ઘરેજ ગયો અને વિવિધ નાટક જોતો તથા ગીતગાન સાંભળતે આખી રાત ત્યાંજ રહ્યો. પછી તેના હાવભાવથી માહિત થઈ તેની સાથે ભેગ ભેગવવા લાગે તે સ્નેહ વચનથી તેને પૂછવા લાગી કે –“હે સ્વામિન્ ! અહી તમે શા કામે આવ્યા છે ?” તે વિસ્મય પામીને બેલ્યો કેઃ- વેપાર
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy