SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૪૯ આવી અને બંને પુત્રોને ગળે વળગીને અત્યંત રૂદન કરવા લાગી. તે બોલી કે –“હે વત્સ ! મંદ ભાગ્યવાળી એવી મને તમે ઘણા સમયે મળ્યા. આ હકીકત સાંભળીને સાર્થપતિએ કુપિત થઈ બળાત્કારથી રાણીને દૂર કરી અને તે બંને કુમારને પકડીને સવારે રાજાની પાસે રજુ કરી ઠપકાપૂર્વક કહ્યું કે : હે સ્વામિન્ ! કોટવાળે અમારા માણસને છેતરનાર આ ચાકીદાર તો બહુ સારા મોકલ્યા !” એટલે રાજાએ કોટવાળને પૂછયું કે - “આ ચાકીદાર કોણ છે?' તેણે કહ્યું કે હે સ્વામિન્ ! હું ઓળખતે નથી, કેટલાક વખતથી એ આવ્યા છે અને મારે ઘેર રહીને નેકરી કરે છે. રાજા તેમને સારી રીતે ઓળખીને રોમાંચિત થયે, તથાપિ બહુ જ ગંભીરતાથી આકારગોપન કરીને આક્ષેપપૂર્વક રાજાએ તેમને કહ્યું કે – અરે! તમે શું કર્યું? તેઓ મૌન રહ્યા, એટલે રાજાએ ઉઠીને તેમને આલિગન કર્યું. તેઓ પણ પિતાના પિતાના ચરણમાં પડયા. પછી માટે પુત્ર બેલ્યો કે:-“હે દેવ! આજ રાત્રે હું ભાઈની આગળ મારું ચરિત્ર કહેતે હતે, એવામાં કેઈ સ્ત્રી સાર્થમાંથી જલ્દી અમારી પાસે આવીને બેલી કે :તમે મારા પુત્ર છે.” એમ કહી તે અમારે ગળે વળગીને બહુ જ રોવા લાગી. તે સિવાય હું વધારે જાણતા નથી.” પછી રાજાએ સાથે શને કહ્યું કે –“હે સાથેશ ! સાચું બોલ, તે સ્ત્રી કેણ છે એટલે સાર્થેશ બોલ્યો કે હું તેને પૃથ્વીપુરથી લાવ્યો છું, તે મારું ઘરનું કામ કરે છે, પરંતુ તે સતી છે, સતીત્વપણાથી તેનું કુળ નિર્મળ છે એમ સમજી શકાય છે પછી રાજાએ પ્રધાનને મોકલ્યો અને “બળાત્કાર ન
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy