SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આપેલા માથથી પ્રતિમાષ પામેલ રાજા વૈરાગ્યથી વ્રત અંગીકાર કરીને મેક્ષપદને પામ્યા. માટે પરદ્રવ્યના પરિહારમાં પરાયણ થઈ પુરૂષાએ તૃતીય વ્રતનું પાલન કરવું. ઇતિ અચૌર્યાં વ્રતેાપરી મહાબલ કથા : હવે ચેાથું અણુવ્રત-બ્રહ્મવ્રતનુ પાલન કરવું, તેના પણ આ પ્રમાણેના પાંચ અતિચાર છેાડવા ચેાગ્ય છે — ઇશ્વર પરિગૃહિત અંગના (કેાઈ એ અમુક મુદત માટે રાખેલી પરસ્ત્રી) સાથે ગમન કરવું, અપરિગૃહિત સ્ત્રી (વેશ્યા) સાથે ગમન કરવું, અન્યના વિવાહ કરવા, કામભાગના તીવ્ર અભિલાષ કરવા અને અનંગ ીડા કરવી.' જે પુરૂષો શીલવ્રતને ધારણ કરે છે તેમની—વાદ, સર્પ, જળ, વાયુ વિગેરેની આપત્તિ નાશ પામે છે, કલ્યાણ પ્રગટ થાય છે, દેવતાએ તેને સહાય કરે છે, કીર્તિ વધે છે, ધર્મ વૃદ્ધિ પામે છે, પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગ તથા માક્ષનાં સુખ પામે છે. પવિત્ર શીલકુળના કલંકને હરે છે, પાપરૂપ પકને ક્ષીણ કરે છે, સુકૃતને વધારે છે, શ્લાઘ્યતાને વિસ્તારે છે, દેવતાઓને નમાવે છે, દુર્ઘટ ઉપસને હણે છે અને સ્વગ તથા મેાક્ષને લીલામાત્રમાં આપે છે.' તેમજ વળી-જે બ્રહ્મવ્રતમાં રક્ત થઈ પરીથી વિરક્ત થાય છે, તે મહા તેજસ્વી તથા દેવતાઓને વંદનીય થાય છે.’ પરસ્ત્રીના ત્યાગ કરનારા પુરૂષો તથા પરપુરૂષોના ત્યાગ કરનારી સ્ત્રીઓને દૈવ પણ અનુકૂળ થાય છે. આ સંબંધમાં નીચે જણાવેલું દૃષ્ટાંત ધ્યાન આપવા લાયક છે :—
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy