SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૨૯ નાગકુમાર દેવ છું. એ બંને મારા પૂર્વભવના વૈરી હતા, તેથી એ રાણી અને રોકીદારને મારવાને માટે જ હું અહીં આવ્યા હતે.” ચાર બે કે – જે એમ હોય તે હે સુંદર ! કહે, મારૂં મરણ શી રીતે અને તેનાથી થશે ?” દેવ બે કે – “હે ભદ્ર! એ પશ્ચાત્તાપ ઉત્પન્ન કરનાર પ્રશ્ન ન પૂછ.” એટલે ચરે ફરી વધારે આગ્રહથી પૂછ્યુંતેથી બળદ બે કે :“હે ભદ્ર ! સાંભળ-આજ નગરના રાજમાર્ગમાં એક મહાન વટવૃક્ષ છે, તેની શાખા પર લટકીને તારૂં મરણ થશે.” ફરી ચાર બેલ્યા કે તારૂં વચન સત્ય હશે, તે પણ કંઈક નિશાની બતાવ.” એટલે બળદ બેલ્યો કે આવતી કાલે બપોરે રાજમહેલના શિખર પરથી સુથાર નીચે પડીને મરણ પામશે. તે નિશાનીથી તું પણ વટશાખામાં બંધાઈને મરણ પામીશ એમ માનજે. તે સાંભળીને અત્યંત ભયભીત થઈ તેને ચારે છોડી મૂક્યો, એટલે તે અદશ્ય થઈ ગયા. બીજા દિવસે પિલા દેવે કહ્યું હતું તેવી જ રીતે બપોરે સૂત્રધારનું મરણ જેઈને પોતાના ભાવિ મરણના ભયથી વ્યાકુળ થઈ તે અત્યંત ગભરાઈ ગયે. તેને જન પણ ભાવતું ન હતું. ખરેખર ! જંતુઓને મરણને ભય મહાદુઃખનું કારણ છે કહ્યું છે કે –
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy