SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૧૫ : તેને ભિક્ષા ન મળી, તેથી તે અંતરમાં વિચારવા લાગ્યા કે – “અહા ! ભક્ષ્યભાષ પુષ્કળ છતાં પણ આ લાકે મને ભિક્ષા આપતા નથી, માટે હું આ સર્વાંના ઘાત કરૂ. (સને મારી નાખું) એ પ્રમાણે રોદ્રધ્યાન વડે ચિ ંતવીને પત પર ચડી નિર્દયપણાથી એક માટી શિલા મૂળમાંથી ઉપાડીને ગબડાવી. તે માટી શિલા નીચે આવતાં ઘણા લેાકેા તેની નીચે કચરાઈ ગયા અને તે ભિક્ષુક પણ ચૂણું થઇ ગયા. ભિક્ષુક મરણ પામીને -નરકે ગયા. (અન્યત્ર તે શિલા નીચે ભિક્ષુક જ દબાઈ ગયા એમ કહ્યુ છે.) એ કારણ માટે મન, વચન અને કાયાથી જીવ હિંસાના ત્યાગ કરવે. (જુએ ! મનથી ચિતવેલ પાપ પણ તે ભિક્ષુકને નરકગમન માટે થયું.) એ પ્રમાણે જીવહિંસાના ત્યાગરૂપ પહેલા અણુવ્રતના સબંધમાં વ્યાખ્યાન આપીને ગુરૂ આગળ બીજા વ્રત સ`બધી કહેવા લાગ્યા. બીજી અણુવ્રત મૃષાવાદવિરમણ નામનુ` છે. તેના પાંચ અતિચારે વવા યાગ્ય છે:- મિથ્યા ઉપદેશ, સહસાત્કારે ળ દેવું, ગુપ્ત કથન, વિશ્વસ્ત જનના છુપા ભેદ પ્રગટ કરવા અને ખાટા લેખ લખવા—એ સત્યવ્રતના પાંચ અતિચાર છે. સત્ય વચનથી દેવતાએ પણ સહાયતા કરે છે કહ્યુ` છે કે :–‘સત્યના પ્રભાવથી નદી નીરપૂર્ણ થઈને વહે છે, અગ્નિ શાંત થાય છે, સિંહ, હાથી અને મહાસર્જ—એ સત્યવ્રતીએ કરેલી રેખા (લીટી) ને એળ”ગવા સમર્થ થતા નથી, જેર, ભૂત કે મોટા શસ્રો પણ તેના પર ચાલી શકતા નથી; વધારે શું કહેવુ...? પણ સત્યાસક્ત જનથી દૈવ પણ દૂર થઇ જાય છે. જે સત્ય
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy