SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર લગ્ન સમયે તે રાણીએ બત્રીસ લક્ષણવાળા પુત્રને જન્મ આપે. પિતાએ તે બાળકનું કિરણુવેગ નામ રાખ્યું. પાંચ ધાવમાતાએથી લાલન પાલન કરતો તે કુમાર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો અને નિશાળમાં અભ્યાસ કરવા લાગે. શાસ્ત્ર અને શસ્ત્ર વિગેરેની બહોંતેર કળામાં પ્રવીણ અને અડતાલીસ હજાર વિદ્યામાં પારંગત થયેલ તે કુમાર અનુક્રમે યૌવનાવસ્થા પામ્યો. એટલે રાજાએ મેટા વંશમાં ઉત્પન્ન થયેલા સામંતરાજની કન્યા પદ્માવતી સાથે મહદ્ધિસૂચક મહત્સવપૂર્વક તેને પરણાવ્યો અને યુવરાજ પદવી આપી. કેટલાક વખત પછી ગુરૂ સંયોગથી રાજા સંવેગ પામ્યો, એટલે કિરણવેગને રાજ્ય પર સ્થાપન કરી પ્રધાનને તે આ પ્રમાણે કહેવા લાગે, “હે પ્રધાનો ! આજથી તમારો આ સ્વામી છે, સ્વપ્નમાં પણ તમારે એની આજ્ઞા ઓળંગવી નહિ. હે સેવકો ! આ કિરણવેગને તમારે મારા જેવો જ સમજી લેવું. પછી રાજાએ કિરણગ કુમારને પણ કહ્યું કે, “હે વત્સ ! તારે પણ આ રાજલકનું સારી રીતે પાલન કરવું. મોટે અપરાધ થતાં પણ માત્ર બાહ્યવૃત્તિથી ક્રોધ બતાવવો, અંતરમાં તેના પર રોષ રાખવો નહીં, સમુદ્રની જેમ મર્યાદા ઓળંગવી નહિ, પંડિતેની સાથે સમાગમ કરવો, જુગારાદિ વ્યસને કદાપિ ન સેવવા તથા દુર્ગણમાં અનાદર કર, સ્વામી, પ્રધાન, રાષ્ટ્ર કિલ્લો, ખજાનો, બળ અને મિત્રવર્ગરૂપ સપ્તાંગ રાજયલક્ષમીની સંભાળ રાખવી. હે વત્સ ! રાજ્યને અંતે નરક છે, તેથી રાજ્ય કરતાં પણ ધર્મકાર્યમાં આદર કર એ પ્રમાણે શિક્ષા આપી -સમસ્તજનોને ખમાવીને શ્રતસાગર ચારણમુનિની પાસે તે
SR No.023194
Book TitleParshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvirgani, Shreyansvijay
PublisherBhavanipur S M Jain Sangh
Publication Year1985
Total Pages568
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy