SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસુંદરનું ઉત્થાન ૩૦૭ ઝુકી પડી. ત્યાર બાદ અનુસુંદર ચકવર્તી સાથે થયેલી વાતે ટૂંકમાં જણાવી. માતા પિતા એ વાત સાંભળી ઘણાં હર્ષિત બન્યા. એમની દીક્ષાની ભાવનામાં ઘણું અભિવૃદ્ધિ થઈ અને પૂ. આચાર્ય ભગવંત પાસે દીક્ષાની માગણી કરી. સાત મહાનુભાવની દીક્ષા: અનુસુંદર ચક્રવતી, શ્રી ગભરાજા, કમલિની રાણી, પંડરીકકુમાર, મગધસેન રાજા, સુમંગલા રાણું અને પુત્રી સુલલિતા આ સાત મહાનુભા દીક્ષા લેવા તૈયાર થયા. આ અવસરે મનદન ઉદ્યાન સુશોભિત બની ગયું. દેવ દેવી અને નરનારીઓથી એ ઉદ્યાન ઉભરાવા લાગ્યું. મેટા મહોત્સવ ચાલુ થઈ ગયા. મગધસેન રાજાએ રત્નપુરનું રાજ્ય અને શ્રીગલે રાજાએ શંખપુરનું રાજ્ય અનુસુંદર ચક્કીના પુત્ર પુરન્દરને આપી દીધું. એ સમયને યોગ્ય દરેક કાર્ય ઘણીજ ર્તિથી પાર કરવામાં આવ્યા. આચાર્ય ભગવંતે સાતેને વિધિપૂર્વક દીક્ષા આપી. દીક્ષા આપ્યા બાદ ગુરૂદેવે સંયમના સ્થિરીકરણ માટે સુમધુર ભાષામાં દેશના આપી. સવેને દેશના સાંભળતાં ઘણે જ આનંદ થયો. પછી સૌ પોતપોતાના સ્થળે ગયા. સાધ્વીજી શ્રી મહાભદ્રા પણ ગુરૂદેવની આજ્ઞા લઈ દરેક સાધ્વીઓ સાથે પિતાના ઉપાશ્રયે ગયા,
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy