SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્નતિ અને અવનતિ ૨૫૫ કે દુશમનો અને દુશમનોના સ્થળેનો નાશ કરો. એ પ્રમાણે કરવામાં પણ આવ્યું. ચિત્તવૃતિ અટવી સાફ કરવામાં આવી.' એમાંના ઘણા નાશી ગયા અને ઘણાનો નાશ થયો. દુમનના નગરો ખલાસ કરાયા. લગ્ન સમારંભ : અત્યંત હર્ષના વાતાવરણમાં મારા વિવાહનો મહોત્સવ ચાલુ થ. આ મંગલ પ્રસંગને જોઈ મારા આંતરબધુઓને ઘણે જ આનંદ થયો. સૌ પ્રથમ આઠ માતાનું સ્થાપન કરવામાં આવ્યું. એમની યથાવિધિ પૂજા કરવામાં આવી. ઈર્ષા સમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિઝાપનિકા સમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુક્તિ એ આઠ માતાઓના નામ હતા. નિસ્પૃહતા વેદિકા બનાવવામાં આવી. ચારિત્રધર્મરાજે માટે અગ્નિકુંડ બનાવ્યો. તેજે, પદ્મા અને શુકલા નારીઓએ વધૂકમ કર્યું. મને પીઠી ચોળવામાં આવી. નાન વિલેપન ૧ આ સ્થળે આત્માના કેટલાક કર્મોનો ક્ષય થાય છે. કેટલાક કર્મોને ઉપશમ થાય છે. ઉપશમ પામેલા કર્મો ઢાંકેલા અગ્નિ જેવા હોય છે. કયારે ભડકો થાય એ ન કહી શકાય. ૨ જનવિધિ પ્રમાણેના લગ્નમાં આ આઠ માતાઓની સ્થાપના કરવામાં આવે છે. “જેનલમવિધિ” અને આચારદિનકરમાં આ વાત સવિસ્તર છે,
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy