SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ઉપમિતિ કથા સારોદ્ધાર આ પ્રમાણે ક્ષાંતિ, દયા, મૃદુતા, સત્યતા, ઋજુતા, અચેરતા, બ્રહ્મરતિ, મુક્તતા, વિદ્યા અને નિરીહતા એ દશ કન્યાઓ છે. કંદમુનિ- ગુરૂદેવ ! એ ભાગ્યવતી સુકન્યાએ ગુણધારણને ક્યારે મળશે ? ગુરૂદેવ– કંદ! શ્રી કર્મ પરિણામ મહારાજા પિતાની પત્ની કાળપરિણતિ અને અન્ય કુટુંબીઓની સંમતિ લઈ પુણ્યદયને આગળ કરી પરણાવશે ત્યારે ગુણધારણ આ કન્યાઓને પરણી શકશે. પરન્તુ રાજાએ એ કન્યાઓ સાથે લગ્ન કરવા હોય તે શ્રી કર્મ પરિણામને અનુકુળ કરવા જોઈશે. અને એ માટે મૈત્રી પ્રમોદ વિગેરે ગુણેને જીવનમાં કેળવવા જોઈશે. એ વિના એ શકય નથી. જે ગુણાધારણ હું કહું એ પ્રમાણે છ માસ પ્રયત્ન કરશે તે અવશ્ય એ કન્યાઓ માટે સુયોગ્ય બની શકશે. છ માસના ગુણપ્રાપ્તિના પ્રયત્નથી પ્રસન્ન બની સધ મંત્રી સ્વયં વિદ્યા નામની કન્યાને લઈ આવશે. એના ગુણધારણ સાથે લગ્ન કરાવી આપશે. પછી સધ મંત્રી પણ ગુણધારણ પાસે રહેશે. એ એક શાણે અને વીર મંત્રી છે. એની બુદ્ધિ ઘણી જ તીવ્ર અને કાર્યસાધક છે. જે ગુણધારણ એની આજ્ઞા માનશે તે ઘણે લાભ થશે. ગુણધારણ રાજાએ આત્મહિત ખાતર સાધ મંત્રીના કથનને માન્ય રાખવું.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy