SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારાહાર ત્યાર પછી મારા પિતાજીએ મારા સેવક તરીકે અનેલા સર્વ વિદ્યાધરાના આદર સત્કાર કર્યાં. અને સૌને સન્માનભેર વિદાય આપી. સૌ પોતપાતાના સ્થાને ગયા. ૨૩૪ મારી દરેક મનકામના પૂર્ણ થઈ હતી. મદનમ’જરી સાથે સુખસાગરમાં સદા સ્નાન કર્યા કરતા હતા. માઁજરીમાં ગુણા ઘણા હતા. રૂપ સૌંદય પણ ઘણા હતા. અમારી પ્રીતિ દિનદિન વધતી ચાલી. રાજ્ય કારભાર પિતાજી સભાળતા હતા. મને કોઈ જાતની જરાય ચિંતા ન હતી. આન દના સ્વૈરવિહારમાં અમે મસ્ત હતા. ક‘મુનિવર : મારી પત્ની અને મિત્ર કુલધર સાથે એક દિવસ હું આહ્લાદમ`દિર ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં મુનિવર શ્રી કંદ મારા જોવામાં આવ્યા. અમે સૌ એ મહાત્માશ્રીની પાસે ગયા. ભાવથી વંદન કરી એમની સામે શુદ્ધ ભૂમિ ઉપર બેસી ગયા. મહાત્મા કમુનિએ અમને “ ધર્મલાભ ”ના આશીર્વાદ આપ્યા. પછી શુદ્ધ ધર્મદેશના આપી. દેશના સાંભળતા મને ઘણા આનદ થયા. હું મૃગનયને ! ત્યાં સમ્યગ્દર્શન અને સદાગમ પ્રગટ થયા. બન્ને પુરૂષાને હું સારી રીતે જોઇ શકતા હતા. એમને આળખતા મને વાર ન લાગી. ગુરૂદેવ શ્રી કદમુનિવરના વચનાથી મને ખેાધ થયા અને મેં મારા હિતસ્ત્રી અન્ધુ તુલ્ય સમ્યગ્દર્શન અને સદાગમના સહર્ષ સ્વીકાર કર્યાં.
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy