SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારાહાર કન્યા ઉત્પન્ન થએલી છે. આ ત્રીજી કન્યા છે. એ પણ વિદ્યા કરતાં ઓછી ઉતરે તેવી નથી. ૧૮૪ જ્યારે ક પરિણામ મહારાજાને પેાતાને સ્વય. વિચાર આવશે ત્યારે એ બન્ને કન્યાઓને ઘનવાહન સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવશે. ત્યારપછી આ બન્ને પાપી મિત્રાથી ઘનવાહનના છૂટકારા થશે. એ વિના અસભવ છે. હાલમાં તું જે કાંઈ પ્રયત્ન કરવા ઈચ્છે તે બધા નિરર્થક બનવાના, માટે તું એ વાત તજી દે. ગુરૂદેવના વચન સાંભળી અકલ'કમુનિએ મારી ચિંતા તજી દ્વીધી. પેતાની સંયમ સાધનામાં મસ્ત બની ગયા. પછી મારી સર્વથા ઉપેક્ષા કરી. મહામહાદિનું મહા આક્રમણ : કરુણાધન અકલ'કમુનિની મધ્યસ્થતા પછી હું મહામહુ અને પરિગ્રહને સંપૂર્ણ આધીન બની ગયા. હું તા એ એનેા ગુલામ બની ચૂકયા એટલે મહામેાહની આજ્ઞાથી મહામૂઢતા, મિથ્યાદર્શન, કૃદૃષ્ટિ, રાગકેશરી, મૂઢતા, દ્વેષગજેન્દ્ર, અવિવેકતા, વિષયાભિલાષ, ભાગતૃષ્ણા, હાસ, રતિ, અરતિ, ભય, શેાક, જુગુપ્સા, કષાય, જ્ઞાન સંવરણ. દશનાવણુ, વેદનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અંતરાય, દુષ્ટાભિસન્ધિ વિગેરે સૈનિક, નાક, ખ'ડીયા રાજાઓએ વારાફરતી મારી દુર્દશામાં વધારા કરતાં ગયા. સૌએ મને ખુબ દુઃખ આપ્યું, પણ મહામહના કારણે મને લક્ષમાં ન આવ્યું,' ૧ આ બધા પાત્રા ચેાથા પ્રસ્તાવમાં મામા ભાણેજની વાતમાં આવે છે. જીવેા ભા. ૨
SR No.023193
Book TitleUpmiti Saroddhar Part 03
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy