SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ સ્થા સદ્ધાર * આવી. પુણ્યદયે દિવ્ય તપુરૂષનું રૂપ લઈ સ્વપ્નમાં દર્શન આપ્યા. હે રાજન્ ! જાગે છે કે ઉંઘે છે ? એમ પ્રશ્ન કર્યો. “જાગું છું.પિતાજીએ ઉતર આપે. તું ચિંતા તજી હળવે બન, હું નરકેશરી મહારાજાની સુલક્ષવંતી સુકન્યા તારા પુત્રને અપાવીશ. એ કન્યા તારા પુત્ર સાથે જ લગ્નગ્રંથીથી જોડાશે, ગભરાઈશ મા. એમ પુણ્યાદયે આશ્વાસન ભર્યા શબ્દથી પિતાજીને દિલાસે આપે. આપની મહાકૃપ” એ રીતે ઉપકારી પિતાજીએ ઉપકાર માન્ય અને દિવ્ય તપુરૂષ અદશ્ય બની ગયે. પ્રાતઃકાળની ઉષાએ પિતાના કીરણ પાથર્યા અને મંગળ પાઠકે સૂર્યોદયના આગમનની તયારી જણાવતું મધુર કાવ્ય લલકાર્યું. પિતાને પ્રભાવ હીન થવાથી ઉદાસ બનેલા શ્રી સૂર્ય અસ્તાચલ ભણી વિદાય લીધી હતી, તે પોતાના તેજ અને પ્રકાશની સંપત્તિ મેળવી ફરી પૂર્વકાશના ગગનમાં આવી રહ્યાં છે.” મંગળ પાઠકની મંગળ વાણી અને પુણ્યદયે આપેલા મંગળ સ્વપ્નને કારણે પિતાજીને વિચાર આવ્યો કે આજે કેઈ મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ થવી જોઈએ. મંગળ વાણું અને મધુર સ્વપ્નથી પિતાજી ઘણા પ્રમુદિત બની ગયા. પ્રાતઃ ક્રિયાઓ કરતાં એમનામાં વ્યગ્રતા કે ઉદાસીનતા ન હતી. બીજી તરફ ભલા પુણ્યદયે નરકેશરી મહારાજાના અંતઃકરણમાં પ્રેરણા ઉત્પન્ન કરી, એ વિચારવા લાગ્યા. તે
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy