SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ઉપમિતિ કથા સોદ્ધાર હોય, છતાં જ્ઞાનચક્ષુ એમના સદા સુવિકસ્વર હોય છે અને એથી વાસ્તવિકતાઓને જોઈ શકતા હોય છે. આથી મુનિવરો સુનયનઘર ગણાય, નહિ કે વિકલાક્ષ. - ૧૧ નિદ્રા: સંસારવાસી જીવે જાગૃત જણાતા હોય છતાં પ્રમાદરૂપ, ગાઢ નિદ્રાથી એ ઉંઘતા જ ગણાય. જ્ઞાની પુરૂષે આવાઓને જાગતાં છતાં ઘેરતા ગણાવે છે. - સાધુભગવંતે કેઈકવાર નિદ્રાને આશ્રય લેતા હોય છે પણ પ્રમાદશીલ એ હોતા નથી. એમનું અત્તર સદા જાગ્રત હોય છે. એમાં સુતા છતાં તત્ત્વતઃ આન્તર જાગરુક ગણાય. ( ૧૨ લેણુદારો : સંસારવાસીઓ બાહ્ય ઋણથી મુક્ત હશે, માથે દેવાદારપણું નહિ હોય, પણ આઠ કમરૂપ લેણદાનું ઋણ એમના લલાટે લખાએલું જ હોય છે. વસ્તુતઃ ઋણની પીડા એમને આકુળવ્યાકુળ કરતી હોય છે. - જો કે સુનિમહાત્માઓને પણ આ આઠ કમલેણદારે હોય છે, છતાં એઓ તરફથી મુનિઓને કનડગત હતી નથી. એમનું દેવું લગભગ ભરપાઈ કરી દીધાં જેવું હોય છે. એટલે ત્રણની પીડા મુનિમહાત્માઓને હેતી નથી. | ૧૩ પરતંત્રતાઃ તત્ત્વજ્ઞાની પુત્ર, મિત્ર, પત્ની, ધન, વિભવ વિગેરે પદાર્થોને આત્માથી અત્યન્ત ભિન્ન વસ્તુઓમાં ગણે છે. આત્માને એ પદાર્થોથી કશો સંબંધ નથી, એવું માને છે. છતાં સંસારી આત્માએ પિતાના મનથી પિતાને સ્વતંત્ર માને છે અને પુત્ર, પત્ની, ઘન વિગેરેની એવી ગુલામગીરી
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy