SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ વિમળના વિકાશ ૩૩૭ એ આચાર્ય શ્રીને જોઈને મને થયું કે અરે! આ મહામાનું વાણીમા ઘણું શાંત્ત્વન આપનારૂ છે. ઉચ્ચકેાટિના તત્ત્વજ્ઞાનને જણાવી રહ્યા છે. એટલે એએશ્રી ગુણસાગર હાય એમાં ના કહેવાય શી રીતે ? એમના ગુણા અને એમની મધુરી વાણી જેવું સુયેાગ્ય રૂપ એમનામાં દેખાતું નથી. આવી વિચારધારામાં જ મે' જિનમદિરમાં પ્રવેશ કર્યાં. પરમતારક શ્રી પરમાત્માની સ્તુતિ કરી. ભાવભક્તિથી નમી પડ્યો. મહાસ્નાત્ર ઉત્સવ કર્યાં. વિલેપનાદિ કર્યાં. વિધિવત્ અષ્ટમ`ગળ આલેખ્યા. સુદ્રબ્યાથી પ્રભુપૂજા કરી. પુષ્પાદિની માળા પહેરાવી. ભાવભીના સંગીત ગીતા ગાઈ ભાવપૂજા કરી. ગુરુદેવના દર્શન કરવાની ઈચ્છાથી હું પ્રભુમદિરથી બહાર આવ્યેા. બહાર આવતાં જ પૂર્વ જોએલા આચાર્યશ્રીને મે જોયાં, હતા એ જ, છતાં બીજા ન હોય એમ જણાયું. કારણ કે આ વખતે એએશ્રી સુવણૅ કમળ ઉપર બિરાજમાન હતા. જાંબુનઃ સુવના કિરણેા જેવી એમના શરીરની જ્યેાતિ હતી. એમના રૂપ આગળ કામદેવનું રૂપ ફીકુચ લાગતું હતું. ચંદ્રના સૌભાગ્ય કરતા એએશ્રી વધુ સૌભાગી જણાતા હતા. હું જ્યારે મંદિર પ્રવેશ કરતા હતા ત્યારે જે રીતે દેશના અપાતી હતી એ હજી પૂર્વવત્ ચાલુ હતી. મે' એમને પહેલાં જોયાં હતા અને અવાજ ઉપરથી એ વાતના પૂ નિર્ણય પણ કર્યાં. મારા આશ્ચયને પાર ન રહ્યો. હું તે અનિમેષ નયણે જોતા જ રહ્યો. હું સ્થિર અની ગયા. ..
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy