SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉપમિતિ કથા સદ્ધાર દેવને ઝૂડવાની શરૂવાત થઈ ગઈ. એક ઉપર એક દંડ પ્રહાર ચાલુ થયો. શિવભક્તોને વિચાર આવ્યું કે આપણા ગુરૂદેવશ્રી સદા શિવ ભૌતાચાર્યને કાન સંબંધી ઈલાજ ચાલવાને છે, તે આપણે જઈએ એ સારું ગણાય. આપણા જેવું કામ હશે તે સેવાને લાભ મળશે, એમ વિચારી શિવભક્તો ત્યાં આવ્યા. અહી જોયું તે શાંતિશિવ ગુરૂદેવને પ્રહાર ઉપર પ્રહાર કરે જતે હતે. મલીન વસ્ત્રને નિર્મળ કરવા દેતી પાષાણુ ઉપર ધેકાથી ફૂટે એમ નિર્દય ઘાતકીપણે કૂટતું હતું, એટલે શિવભક્તો બાલ્યા. અરે શાંતિશિવ ! આ તે શું આદર્યું છે? પૂજ્યપાદ ગુરૂદેવને કેમ મારી રહ્યો છે? શાંતિશિવે ઉત્તર વાળ્યો, “આ પાપી ઘણી ઘણી મહેનત કરવા છતાં સાંભળતું નથી.” ભતાચાર્ય કરૂણ અવાજે કરી રડવા લાગ્યા. અત્યંત વેદનાથી પીડિત થતા અને મૃત્યુની સેડમાં આવેલા પ્રાણીની જેમ કરૂણાભરી ચીસે ભૌતાચાર્ય કરવા લાગ્યા અને બચાવની યાચના કરવા લાગ્યા. . શિવભક્તો બૂમાબૂમ કરતા ગુરૂદેવના રક્ષણ કાજે શાંતિશિવને વળગી પડ્યા, એટલે શાંતિશિવે કહ્યું કે “હું ૧ શાંતિશિવ વૈદ્યરાજનું અણસમજુ રીતે અનુકરણ કરી રહ્યો છે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy