SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ કથા સારોદ્ધાર સદ્દબુદ્ધિએ ઉત્તર વાળ્ય. હે મહાભાગ! અપથ્ય જનના ત્યાગથી અને ગુણકારી ઔષધોના આસેવનથી આ સુખી અવસ્થાને તું પામે છે. તુચ્છ ભેજનના ત્યાગની તત્પરતા? તે શું આ અપથ્યજનને સર્વથા ત્યાગ કરી દઉં? જેથી હું અનંત અપાર સુખને સાથી બનું. સબુદ્ધિએ કહ્યું. તારી વાત તે ઘણી જ આદરણીય છે. અપથ્થભેજનને ત્યાગ એ આત્મ-કલ્યાણને માર્ગ છે. તું ત્યાગ કરતાં અગાઉ આગળ પાછળને બધે વિચાર વિવેક પૂર્વક કરી જોજે. ભવિષ્યમાં મુંઝવણ ન થાય “વિના વિચાર્યું કરેલા કાર્યોના પરિણામે સુંદર આવતાં નથી” એ ધ્યાનમાં લેજે. અપથ્થભોજનને સર્વથા તું ત્યાગ કરવા ઈચ્છતા હો તે સુખેથી ત્યાગ કર, પણ ફરીથી મેળવવાની અભિલાષા ના રાખીશ. જે ફરી મેળવવા પ્રયત્ન કરીશ તે હાલમાં જે સ્વસ્થતા અને શાંતિ મેળવ્યા છે તે પણ ઘટી જશે. માટે ખૂબ જ વિચાર કરી જેજે. સદ્દબુદ્ધિના શબ્દો સાંભળી નિપુણ્યક તે વિચારના ચગડોળે ચડી ગયો. મારે શું કરવું? શું ન કરવું ? અપથ્યભજન તજી દઉ? કે હાલમાં ભલે મારી પાસે રહું? એનું મન ઝંખવાણું પડી ગયું “મેહ મહિપતિની આજ્ઞાનું ઉલ્લંઘન એ કાંઈ નાના બચાના ખેલ છે ?” નિપુણ્યક એક દિવસ પરમાન્ન ખાવા બેસે છે. પરંતુ ચગડોળે ચડી છે કે હાલમાં તિની આજ્ઞાનું કે
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy