________________
૪૧૪
ઉપમિતિ કથા સારોદ્વાર
ત્યાં શ્રી નંદાદેવીની કુક્ષીથી નવિન કુમાર તરીકે જન્મ ચર્ચા ત્યારથી હિંસા અને વૈશ્વાનર પ્રગટ દેખાવમાં આવ્યા. અરિદમન—નવિન કુમાર અનાદિ કાળના છે? વિવેક કેવળી—હા, એ અનાદિ કાળના છે. અરિદમન—જો એમ હાય તે। શ્રી પદ્મરાજા અને શ્રી નંદાદેવીના પુત્ર છે, એવી પ્રસિદ્ધિ કેમ થઈ શકે ? વિવેક કેવળી—“ હું પદ્મરાજાના પુત્ર છું” એ મિથ્યાભિમાન માત્ર છે. મિથ્યાભિમાનની વાત ઉપર કોઈ મદાર આંધી શકાય નહિ.
અરિદમન-તા પછી નંદવર્ધનને કયાંના માનવા ? વિવેક દેવળી—સત્ય હકિકતમાં નવિન કુમાર અસ અહાર નગરના રહેનારા છે. તેથી તે અસવ્યહારી કુટુંબના ગણાય. આનું ખરૂં નામ તે સંસારીજીવ છે.
અરિદમન–ભદત ! આ વિષયમાં મારી બુદ્ધિ પહોંચતી નથી. તે આપ કૃપા કરી વિસ્તાર પૂર્વક સમજાવા, તા જ હું આ વિષયના ગૂઢ રહસ્યને સમજી શકીશ. વિવેક કેવળી સાવધાન ખની સાંળળા.
ભવ પ્રપંચ
ગુરૂદેવે આ વખતે અસ’વ્યવહાર નગરીથી આજસુધીના મારા કરૂણૢ ઇતિહાસ સભળાવ્યે.
અશ્વિમન રાજા પવિત્ર પુરૂષ હતા. સાધુભગવંતાના સમાગમમાં આવતા રહેતા હતા. અંતર નિમ ળ હતું. થોડા ૧ જુએ પૃષ્ઠ ૭૭ પ્રકરણ ચેાથું.