SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ઉપમિતિ કથા સારદ્વાર - મદનમંજુષાએ માતા શ્રી રતિચૂલાને એ વાત જણાવી અને રતિચૂલાએ મહારાજા શ્રી અરિદમનને એ વાતથી માહિતગાર કર્યા. પિતાની ઈચ્છા પણ એ માટેની છે એ પણ જણાવ્યું. મહારાજા અરિદમનને એ વાત સુગ્ય જણાઈ એટલે પિતાની સુકન્યા નદિવર્ધનને અપવા માટે મને આપશ્રી પાસે મોકલ્યા છે. “આપ યંગ્ય આજ્ઞા ફરમાવે”. ફુટવચન મંત્રીની વાત સાંભળી શ્રી પદ્મમહારાજાએ પિતાના મંત્રી મતિધન પ્રતિ જોયું. મતિધને જણાવ્યું, રાજરાજેશ્વર શ્રી અરિદમન રાજા એ એક શ્રેષ્ઠ રાજવી છે. વીર ધીર અને ગંભીર સપુરૂષ જેવા સુયોગ્ય છે. એવા રાજવી સાથે આપણે સંબંધ થાય ઈરછનીય ગણાય. આજના મંગળ પ્રસંગે મંત્રી શ્રી ફુટવચનની વાતને સ્વીકાર કરી એમના મનને સંતોષ આપ જોઈએ, એ અમારે નમ્ર અભિપ્રાય છે. મહારાજા શ્રી પલ્વે મંત્રી મતિધનની સલાહથી ફુટવચનની વિનતિને સ્વીકાર કર્યો. વાતાવરણમાં ઉગ્રતા અને સ્વફુટવચનનું ખૂન એ વખતે મેં ફુટવચનને પૂછ્યું, અરે ! ફુટવચન! તમારૂં નગર અહીંથી કેટલું દૂર થાય છે? ફુટવચન–બસે પચાસ યોજનમાં એક ગાઉ ઓછું છે. આ નંદિવર્ધન–તમે ખોટું ન બેલે. બસે પચાસ એજનમાં એક ગાઉ ઓછું છે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy