SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ ૨૯ તે હું આ બધા ઉત્તમ લાભાથી વ ંચિત રહેત. આ પુણ્ય અવસરના લાભ ન મળત. ખરેખર ! તું મારે બધુ છે. મિત્ર છે. તારૂં' નામ સુબુદ્ધિ છે તે સત્ય અને સાક છે. પ્રત્યુત્તર આપતાં મંત્રીશ્વરે જણાવ્યું, હે રાજન્ ! આપ મને આવું મહાગૌરવ આપે! તે ખરેખર નથી. હું તે આપના સામાન્ય સેવક છું. સામાન્ય સેવક ઉપર અતિઅધિક ગૌરવના ભાર આપવે। ઠીક નથી. કલ્યાણુ પરંપરા આપવા અમારી શક્તિ ક્યાં છે? આપશ્રીનું પેાતાનું પુણ્ય જોર કરતુ હતું. ભાગ્યલક્ષ્મીં આપના ઉપર પ્રસન્ન હતા. એટલે આ મંગળમાળાઓ સમાન દરેક ઉત્તમ વસ્તુએની પ્રાપ્તિ થઈ છે. બીજા પુરૂષાના સંયેાગથી કે અન્યના પરિશ્રમથી કલ્યાણ થતું નથી. પેાતાનુ પુણ્ય અને પેાતાને પુરૂષાર્થ જોઈ એ. મનીષીએ જણાવ્યું હે રાજન્ ! કલ્યાણુ તા હજુ આગળ થશે. હમણાં તે આપને ભવિષ્યમાં થનારા કેવળ જ્ઞાનરૂપ સૂર્યની પ્રભાને દર્શાવતા અરૂણાઢય માત્ર છે. કૈવલ્ય પ્રાપ્તિ એ જ કલ્યાણુ છે, એ જ મહાનંદ છે. અને એ જ પરમ શ્રેયસ્કર છે. અત્યારે જે આનંદ જણાય છે તે તે સમ્યક્ દનથી ઉત્પન્ન થએલે છે. આપનું ભાવી ઉજ્જવળ છે. શત્રુમન રાજાએ જણાવ્યું કે, આપ કહેા છે તેમાં જરાપણ સંદેહ નથી. પછી મંત્રીશ્વર પ્રતિ મુખ ફેરવી ખેલ્યા. ૧૯
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy