SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પરાધીનતા: પરમદુઃખ -૩૫ શાસનમાં રહેલાં છ કેવાં થાય છે? તે કહે છે કે 'सिझति बुझंति मुच्चंति, परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करंति'. જે જીવે આ પરમાત્માના પ્રવચનમાં રહ્યાં છે, તે જરૂર મોક્ષને પામશે. આ ભવમાં કે પરભવમાં, કાં તે ત્રીજે ભવે, અને છેવટે સાતમે ભવે તે એ જરૂર પ્રતિબંધ પામીને સિદ્ધિ ગતિમાં જશે જ. એને કેવળજ્ઞાન પણ થશે. એ જ સર્વદુઃખને નાશ પણ કરવાના, અને સર્વ કર્મથી મુકત પણ જરૂર થવાના છે. એનું કારણ જે કઈ હોય તે તે પરમાત્માનું વચન જ છે. માટે જ યશોવિજયજી મહારાજ જેવાએ પણ એ વચનના રાગની જ માંગણી કરી છે. હેમચન્દ્રસૂરિમહારાજા પણ જયાં ભાવના ભાવે છે, ત્યાં કહે છે કે “પ્રભાતમાં આ એકજ ભાવના ભાવજે. બીજું બધું પછી કરજે.– 'जिनधर्मविनिर्मुक्तो. मा भुवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥" હે જિનેશ્વર ! હું ભવાન્તરમાં ગમે તે સ્થિતિમાં મૂકાઉં, ગમે ત્યાં જાઉં, કદાચ ચકવતીપણું પણ મને મળી જાય, પણ જે તારે ધર્મ ન હોય, તે એ મારે નથી જોઈતું. પણ જે તારે ધમ મળતો હેય, અને કદાચ લક્ષમી ન મળે, સમૃદ્ધિ ન મળે, તે એ બધાંની મારે જરૂર નથી. મારે નેકરીઓ કરવી પડે, દાસપણું ભેગવવું પડે, તે ભલે. પણ હે પ્રભે! તારા ધર્મની અટલ શ્રદ્ધા અને ભવભવ મળજે. બીજી મારે કાંઈ જરૂર નથી.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy