SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચને સૂત્રને ચાર જણ રચી શકે છે. એક ગણધર ભગવંત, બીજા પ્રત્યેક બુદ્ધ મુનિ. ત્રીજા શ્રુતકેવલી–જે ચૌદ પૂર્વધર હોય છે, અને ચોથા સંપૂર્ણ-દશપૂર્વધર મહારાજ. અરિહંત મહારાજા અર્થ કહે, એને સૂત્રરૂપે ગણધર ગૂંથે, “અર્થ મારુ કા, સુત્ત થંતિ ના નિરળા ' આમ આગમ બે પ્રકારે ઃ સૂત્ર-આગમ, અને અર્થ આગમ. એના ત્રણ ત્રણ પ્રકાર છે. આત્માગમ, અનંત રાગમ અને પરંપરાગમ. અરિહંત મહારાજાઓને જ્યારે કેવળજ્ઞાન થાય, ત્યારે ઈદ્રો આવીને સમવસરણ રચે. તેમાં ભગવાન “નમરત્તીર્થ' કહીને બિરાજે. તીર્થ એટલે સંઘ. પછી ભગવાન તીર્થની સ્થાપના કરે. તેમાં સૌ પહેલાં ગણધરોને સ્થાપે. તે વખતે ગણધર ભગવંતને ત્રણ વાર વંદન કરીને પૂછે. વંદન કરીને પૂછવું, એનું નામ નિષદ્યા. ગણધરો આવી ત્રણ નિષદ્યા કરે. આ પહેલી વાર વંદન કરીને પૂછેઃ “થર મવંત્તરં” હે ભગવાન ! તત્વ કહે. ત્યારે ભગવાન કહેઃ “કરૂ વા” જગતની દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે. પછી ફરી વંદન કરીને પૂછે, ત્યારે ભગવાન કહે “વિમેરૂ વ-જેમ ઉત્પન્ન થાય છે, તેમ દરેક વસ્તુ નાશવંત છે. પછી ત્રીજીવાર પૂછેઃ થય માવંત, ત્યારે ભગવાન કહેઃ પુરૂ રા'—જગતના તમામ પદાર્થો સ્થિર છે. અપેક્ષાએ નાશ, અપેક્ષાએ ઉત્પત્તિ, અને અપેક્ષાએ
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy