SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ત્યારે જ કહેતાં હોય. શિષ્યની પરીક્ષા કરવા માટે પણ એમ કહે. અને જે ગુરુના વચનમાં પણ શંકા થાય, અશ્રદ્ધા થાય, તે એ મૃત્યુનું દ્વાર છે. આમ આ ચારે મરણના દ્વાર છે. એમાં પહેલું “અનુચિત કર્મ કરવારૂપ છે. કોઈ પણ અનુચિત કામ તું ન કરીશ. ઉચિત ન થાય તે બેસી રહેજે, પણ અનુચિત તે ન કરીશ, સમ્યકત્વી જે અનુચિત કર્મ કરે, તે એના સમ્યકત્વમાં પણ સંદેહ પડશે. એ તે જ્યારે તમે યોગદષ્ટિનું સ્વરૂપ સાંભળશે, ત્યારે ખબર પડશે. ગની આઠ દષ્ટિ છે. દષ્ટિના બે પ્રકાર છે. એક ઘદૃષ્ટિ છે. બીજી ચેષ્ટિ છે. એઘદષ્ટિમાં જુદાં જુદાં દર્શન થયાં. એધ એટલે સામાન્ય. સામાન્ય રીતે એક દર્શન જોયું ને એમાં આગ્રહ બંધાઈ ગયે, એ ઓઘદષ્ટિ. એક ફળ પડયું હોય, એ ફળને જુદાં જુદાં જેનારાં કેટલાં હશે ? નાનું બાળક પણ એ જશે. એ જોઈને એને જ વિચાર આવશે. કોઈ જુવાન માણસ જશે, તે એ વળી જુદી રીતે જોશે. કેઈ મૂર્ખ માણસ જેશે, તે એ જુદી રીતે જોશે. ડાહ્યો માણસ પણ એને જુદી રોતે જોશે. એટલું જ નહિ, પણ એ ફળને દિવસે જુએ તે જુદું લાગશે. રાત્રે જુઓ તે જુદું જ દેખાશે. ત્યાં આપણું દષ્ટિમાં ફેર પડે છે. રાત્રે ઘર-ગાઢ અંધારુ છે, અને દિવસે અજવાળું છે. હવે એ જ ફળને ઘનઘોર વાદળાં છવાયાં
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy