SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શ્રી ઋષભનાથ ચરિત્ર * કાચા સૂત્રથી બાંધેલા પલંગ ઉપર ચઢવા સમાન વિષયસેવન સંસારભૂમિમાં પડવા માટે થાય છે. સર્વ પ્રાણીઓને પુત્ર-મિત્ર-સ્ત્રી આદિ પરિવારને સંગ એક ગામમાં સાથે રહેનારા સૂતેલા મુસાફર લેક જેવો છે. રાશી લાખ ચનિ વડે ગહન ભયંકર સંસારમાં ભ્રમણ કરતા જીવને અનંતીવાર પિતાના કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલ દુઃખને સમૂહ પ્રાપ્ત થયેલ છે, લેકમાં વાળના અગ્રભાગ સરખું પણ તેવું કઈ સ્થાન નથી કે જ્યાં જ અનેકવાર દુઃખની પરંપરા પામ્યા ન હોય. આ પ્રમાણે સાંભળીને નિર્નામિકા બે હાથ જોડીને ભગવંતને કહે છે કે–તમે રાજા–રંક, સુખી-દુઃખી, ધનવાન અને નિર્ધનને વિષે સમાન ભાવવાળા છે, આથી આપને વિનંતિ કરું છું કે આપ પૂજ્ય આ સંસારને દુઃખેની ખાણરૂપે કહ્યો, તે આ લેકમાં મારાથી પણ વધારે દુઃખી શું કઈ છે? કેવલી કહે છે કે પોતાને દુઃખી માનનારી હે ભદ્રે ! નારક અને તિર્યંચ ગતિમાં રહેલા જીના દુઃખની આગળ તારું દુઃખ શું છે ? બીજા ના દુખને સાંભળ! - પ્રાણીઓ પોતાના કર્મને પરિણામે નરકભૂમિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જ છેદન–ભેદન આદિ વેદનાને સહન કરે છે, પરમાધામી દેવે તેને યંત્ર વડે તલને પીલે તેમ પીલે છે. કેટલાકને લાકડાને ફાડે તેમ કરવત વડે ફાડે છે. કેટલાકને શૂળની શય્યામાં સુવડાવે છે. કેટ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy