________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯
સમ્યગ્દર્શનનો લાભ आगमकहिए तत्ते, रई त सम्मदसणणेय । तं च निसग्गाहिगमा, गुरूणो भवियाण जाएइ ॥
આગમમાં કહેલ તત્ત્વને વિષે રુચિ તે સમ્યગ્દર્શન જાણવું અને તે નિસર્ગથી અથવા ગુરુના અધિગમથી ઉત્પન્ન થાય છે.
તે આ પ્રમાણે-અનાદિ અનંત એવા સંસારરૂપી આવર્તમાં વર્તનારા જીવનને વિષે જ્ઞાનાવરણીય-દર્શનવરણી–વેદનીય અને અંતરાય નામના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ છે. નામ અને નેત્ર કર્મની વીશ કોડાકડી અને મેહનીય કર્મની સિત્તર કેડા કડી ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
તે પછી પર્વતની નદીના પથ્થરના ઘોલના ન્યાય (નદીગેળૉલન્યાય)થી ફલને ભેગવવાથી ક્ષય પામતાં સાત કર્મોની અનુક્રમે ઓગણત્રીશ, ઓગણીશ અને ઓગણસિરોર કડાકોડી સાગરોપમ સ્થિતિને ઉછેદ કરીને, પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન એક કેડાકેડી સાગરોપમ બાકી રહે છતે પ્રાણીઓ યથાપ્રવૃત્તિ કરણ વડે ગ્રંથિદેશ સુધી આવે છે. દુર્દેવ-દુરુછેદ એવો, કાષ્ઠ આદિની જે અત્યંત દઢ એવો રાગ-દ્વેષને પરિણામ તે ગ્રંથિ કહેવાય છે. કહ્યું છે કેमोहे कोडाकोडी, सत्तरि वीसं च नामगोयाणं । तीसायराणि चउण्हं, तित्तीसयराई आउस्सा ॥१॥