SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર રાકે કે, “હે દેવ ! હમણાં આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે સાંભળીને રાજા “આ તરફ ઉત્પન્ન થયું છે કેવલજ્ઞાન જેને એવા પિતા છે, અને આ તરફ ચકરત્ન ઉત્પન્ન થયું છે, પ્રથમ હું કોની પૂજા કરું ?” એ પ્રમાણે ક્ષણવાર વિચારે છે. તે પછી “સર્વ જીવને અભય આપનાર પિતા ક્યાં ? અને જીવોનો ઘાત કરનાર ચક્ર ક્યાં ? ” એ પ્રમાણે વિચારીને સ્વામીની પૂજા માટે તે પિતાના માણસોને આદેશ કરે છે. મરૂદેવા સાથે ભારતનું સ્વામીના વંદન માટે આગમન હવે ભરત તેઓને યથેચિત પુષ્કળ ઈનામ આપીને તેઓને વિસર્જન કરીને મરુદેવીને કહે છે કે – “હે દેવી ! તમે હંમેશાં કરુણ અક્ષરે આ કહેતાં હતાં કે – જે મારે પુત્ર એકલે ભિક્ષાના આહારવાળો દુઃખભાજન છે” હવે ત્રણેય લેકના સ્વામીપણાને ભેગવનારા તે પિતાના પુત્રની સમૃદ્ધિ જુઓ.” એ પ્રમાણે કહીને તે મરુદેવીને ઉત્તમ હાથી ઉપર બેસાડે છે. તે પછી મૂર્તિમંત લક્ષ્મીવાળા સુવર્ણ–વા અને માણિક્યનાં ભૂષણોથી વિભૂષિત એવા અશ્વ-હાથી, પાયદળ અને રથો સાથે તે ચાલે છે. ભૂષણની કાંતિના સમૂહથી કર્યું છે જંગમ તોરણ જેણે એવાં સૈન્ય સાથે ચાલતે ભરત રાજા દૂરથી રત્નમય દવજને આગળ જુએ છે. હવે ભરત મરુદેવાને કહે છે કે હે દેવી ! દેવે વડે
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy