SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી ઋષભનાથ ચરિત્ર હે દેવી! સ્થિરતાના પર્વત સરખા, વજ સરખા પરાક્રમવાળા, મહાસત્ત્વશિરોમણિ એવા પિતાની માતા થઈને આ પ્રમાણે કેમ ખેદ કરો છો ? પિતા એકદમ સંસારસમુદ્રને તરવા માટે તૈયાર થયેલા, કઠે બાંધેલ શિલા સરખા આપણે આ સ્થાનમાં પ્રભુએ ત્યાગ કર્યો. વનમાં વિચરતા પ્રભુના પ્રભાવથી શિકારી પશુઓ પણ પથ્થરથી ઘડેલાની જેમ ઉપદ્રવ કરવા માટે સમર્થ નથી. સુધા-પિપાસા આદિ જે દુસ્સહ પરિષહે છે, તે પણ કર્મરૂપી શત્રુનો નાશ કરવામાં ખરેખર પિતાને સહાય કરનારા જ છે. મારા વચનમાં તમને વિશ્વાસ નથી તે પિતાના જલ્દી થનારા કેવલજ્ઞાનના મહોત્સવની વાતથી તમને વિશ્વાસ થશે.” ભરતરાજાની આગળ સ્વામીના કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને ચકરત્નની ઉત્પત્તિનું એકી સાથે નિવેદન આ વખતે દ્વારપાલ વડે જણાવાયેલા યમક અને શમક નામના બે પુરુષે રાજાની આગળ આવ્યા. તેમાંને. યમક પ્રણામ કરીને ભરતરાજાને નિવેદન કરે છે કે “હે દેવ ! પુરિમતાલનગરમાં શકટમુખ ઉદ્યાનમાં પૂજ્ય શ્રી યુગાદિનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ કલ્યાણવાર્તા વડે આજે પુણ્યદય વડે તમે વૃદ્ધિ પામે.” શમક પણ નમસ્કાર કરીને ઉચ્ચ સ્વરે જણાવે છે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy