SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રી ઋષભનાથ ચરિત્ર તિર્યચ-મનુષ્ય અને દેવે કેટલાક પ્રવેશ કરતા અને કેટલાક નીકળતા હોય છે. ઈંકે કરેલી ઋષભજિનની સ્તુતિ अह सोहम्मकप्पिदा, नमंसित्ता कयंजली। रोमचिओ जगन्नाह, इअ थोउं पयट्टइ ॥ હવે સૌધર્મકલ્પને ઇંદ્ર, નમસ્કાર કરી બે હાથ જોડી રોમાંચિત થયેલ તે, જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરે છે – હે સ્વામી! બુદ્ધિહીન એવો હું ક્યાં? અને ગુણના પર્વત એવા તમે ક્યાં? તો પણ તમારી ભક્તિ વડે વાચાલ કરાયેલો હું તમારી સ્તુતિ કરીશ. અનંત દર્શન-જ્ઞાન–વીય અને આનંદરૂ૫ રને. વડે રત્નાકર જેવા હે જગત્પતિ! આ લોકમાં તમે એક જ વિરાજે છે. હે દેવ! આ ભરતક્ષેત્રમાં લાંબાકાળથી સર્વથા નષ્ટ થયેલ ધર્મની ઉત્પત્તિ માટે વૃક્ષના અદ્વિતીય બીજ જેવા તમે જ છે. ત્યાં દેવલેકમાં રહેલા અનુત્તર દેવોના સંદેહને તમે અહિં રહ્યા છતાં છેદે છે-દૂર કરે છો. તમારા પ્રભાવની કઈ મર્યાદા નથી. મહાકદ્ધિ અને કાંતિથી પ્રકાશતા સર્વ દેવોને દેવકની ભૂમિમાં જે નિવાસ છે, તે તમારી ભક્તિના અંશનું જ ફળ છે. હે દેવ! તમારી ભક્તિથી વિહીન જીના મોટા
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy