SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર - ૧૮૭ કરનારા અશ્વો, બીજા પરાક્રમથી દિગ્ગજોને જીતે એવા શ્રેષ્ઠ હાથીઓ, કેટલાક રૂપ–લાવણ્યથી દેવાંગનાઓને પરાભવ કરે એવી કન્યાઓ. કેટલાક વીજળીના ભ્રમને કરનારાં આભરણે, કેટલાક સંધ્યાના વાદળ સરખા જુદા જુદા વર્ણનાં વસ્ત્રો, કેટલાક મંદાર પુષ્પની માળાની સ્પર્ધા કરનારી પુષ્પમાળાઓ, કેટલાક મેરુપર્વતના શિખર સરખા સુવર્ણના રાશિને, વળી કેટલાક બીજા લેકે રોહણાચળની ચૂલા સરખા રત્નના ઢગને આપે છે. સ્વામી ભિક્ષા ન મળવા છતાં પણ દીનતા રહિત મનવાળા જંગમતીથની જેમ સદા વિહાર કરતા પૃથ્વીને પવિત્ર કરે છે. સાત ધાતુ રહિત દેહવાળા હોય તેમ સુસ્થિત ભગવાન બુધા-પિપાસા આદિ પરિષહોને સહન કરે છે. પિતાની જાતે દીક્ષા લીધેલા તે રાજાઓ વહાણો જેમ પવનને અનુસરે તેમ સ્વામીને અનુસરતા તેવી જ રીતે વિચારે છે. કચ્છ-મહાક૭ આદિની ચિંતા હવે તત્ત્વજ્ઞાનથી રહિત એવા તે તપસ્વીઓ સુધા. તૃષા આદિથી પીડા પામેલા તે રાજાએ પોતાની બુદ્ધિ અનુસાર આ પ્રમાણે વિચારે છે – આ સ્વામી કિં પાકફળની જેમ મધુર ફળોને પણ ખાતા નથી, ખારા પાણીની જેમ મીઠા પાણીને પણ થતા નથી. પરિક (શરીર સંસ્કાર)ની અપેક્ષા વગરના.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy