SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી ઋષભનાથ ચરિત્ર સાથે પૃથ્વી વગેરે સર્વ પરિગ્રહના તૃણની જેમ ત્યાગ કરનારા નિલેભસ્વરૂપ તમને નમસ્કાર થાઓ. હે પ્રભુ ! પાંચ મહાવ્રતના ભાર વહન કરવામાં વૃષભ સમાન સ’સારસમુદ્રને તરવામાં અતિકુરાળ મહાત્મા એવા આપને નમસ્કાર થાએ. હું આદિનાથ ! પાંચ મહાવ્રતની જાણે પાંચ. બહેના હૈાય એવી પાંચ સમિતિએને ધારણ કરનાર એવા તમને નમસ્કાર થા. આત્મામાં જ રમતા કરનારુ' છે એક ચિત્ત જેવુ... એવા, વચન ચેાગના સંવરણ વડે શાભતા, સવ કાયાની ચેષ્ટાથી નિવૃત્ત થયેલા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા તમને નમસ્કાર થાએ.” આ પ્રમાણે આદિનાથ ભગવંતની સ્તુતિ કરીને દેવા જન્માભિષેકની પેઠે નદીશ્વરદ્વીપમાં જઈ ને અષ્ટાફ્રિકા મહાત્સવ કરીને યથાસ્થાને ગયા. તેવી રીતે ભરતબાહુબલિ વગેરે પણ નાથને પ્રણામ કરીને દેવાની માફક કેમે કરીને પાતપાતાને સ્થાને ગયા. પ્રભુ પણ મૌનવ્રતને ધારણ કરતા, પાછળ દીક્ષિત થયેલ કચ્છ-મહાકચ્છ વગેરે. રાજાએ વડે અનુસરાયેલા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ઋષભપ્રભુ અને અન્ય મુનિઓને આહારની અપ્રાપ્તિ ભગવાન પારણાને દિવસે કોઈ ઠેકાણે ભિક્ષા પામતા નથી, કારણકે તે વખતે એકાંત સરળ એવા લેાક ભિક્ષાદાનની વિધિને જાણતા નથી. તે લેાકેા નાથને પૂની જેમ રાજા જ માને છે. તેની ભિક્ષા માટે આવેલા ભગવ તને કેટલાક લેાકેા વેગથી સૂર્યના અશ્વને પરાભવ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy