SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી ઋષભનાથ ચરિત્ર જિનના દેહ આદિના અતિશ અને દે સાથે ક્રીડા યુગાદિનાથનો દેહ સ્વેદ–રોગ અને મળથી રહિત, સુગંધી, સુવર્ણકમળની જેમ સુંદર આકારવાળે છે. માંસ અને લેહી જેવા ગાયના દૂધની ધારા વેત અને દુર્ગધ રહિત હોય છે, આહાર અને નિહારની વિધિ નેત્રને અગોચર હોય છે, વિકસિત કમળની સુગંધ સરખે સુગંધી શ્વાસ હોય છે. એ ચાર અતિશય તીર્થકરને જન્મ સાથે હોય છે. વજનદષભનારાચ સંઘયણને ધારણ કરતા પ્રભુ જાણે પૃથ્વીના પતનના ભયથી મંદ મંદ ચાલે છે. બાળક હોવા છતાં પણ ગંભીર મધુર ધ્વનિપૂર્વક પ્રભુ બેલે છે. સ્વામીને સમચતુરસ્ત્ર સંસ્થાન અત્યંત શોભે છે, સરખી વયવાળા થઈને આવેલા દેવકુમાર સાથે તેઓના ચિત્તને રંજન કરવા માટે ઋષભસ્વામી ક્રીડા કરે છે. ધૂળથી - વ્યાપ્ત છે સર્વ અંગે જેનાં, ઘૂઘરમાળને ધારણ કરતા કીડા કરતા પ્રભુ, અંદર રહેલી છે મદની અવસ્થા જેને એવા હાથીના બચ્ચાની જેમ શેભે છે. સ્વામી જે કાંઈ લીલા વડે હાથથી ગ્રહણ કરે છે, તેને લઈ લેવા માટે મહર્થિક દેવ પણ સમર્થ નથી. જે પ્રભુના બળની પરીક્ષા કરવા માટે આંગળીને પણ ગ્રહણ કરે છે. તે ધાસના પવનથી -રજકણની માફક દૂર જાય છે. કેટલાક દેવકુમારે વિચિત્ર દડા વડે પૃથ્વી પર
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy